અમેરિકાના હવાઈ હુમલામાં યમનના હુથીમાં 74 લોકોના મોત, 171 ઇજાગ્રસ્ત

યમન ના હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે અમેરિકી હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે. આ હુમલા દેશના એક ઓઇલ પોર્ટને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસ (એપી)ના અહેવાલ મુજબ, હુથી વિદ્રોહીઓએ જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી. જો કે આ દાવાની હજુ સુધી અમેરિકી સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સેનાએ યમનના મુખ્ય રાસ ઈસા પોર્ટ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, આ હુમલાઓનો ઉદ્દેશ્ય હુથી બળવાખોરોની આર્થિક ક્ષમતાઓને નબળી પાડવાનો હતો.સેન્ટકોમે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો તેમની લશ્કરી કામગીરીને ટકાવી રાખવા, નિયંત્રણ સ્થાપિત કરવા અને આયાતમાંથી નફો મેળવવા માટે બળતણનો ઉપયોગ કરે છે. આ બળતણ યમનના લોકો સુધી કાયદેસર રીતે પહોંચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *