PM મોદીની ચેતવણીથી ડરી ગયું પાકિસ્તાન,જાણો આતંકવાદ પર શું કહ્યું….

PM મોદીની ચેતવણી- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ મેના રોજ રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં સ્પષ્ટતા કરી હતી કે ભારતે ફક્ત ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું છે, તેને કાયમ માટે બંધ કર્યું નથી. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ પર અમારી જવાબી કાર્યવાહી મુલતવી રાખી છે. આગામી દિવસોમાં, અમે પાકિસ્તાનના દરેક પગલાને તે કેવું વલણ અપનાવે છે તેના આધારે માપીશું. જો તે ફરીથી કંઈ કરવાની હિંમત કરે છે, તો ભારતની ત્રણેય સેનાઓ યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. હવે પીએમ મોદીના આ નિવેદન પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આવી છે.

PM મોદીની ચેતવણી- પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની કાર્યવાહીએ આક્રમકતાનો ખતરનાક દાખલો બેસાડ્યો છે, જેનાથી સમગ્ર ક્ષેત્ર વિનાશની અણી પર આવી ગયું છે. તેમણે વડા પ્રધાન મોદીના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવ્યા છે. પાકિસ્તાને કહ્યું છે કે જ્યારે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ભારતના વડા પ્રધાન આક્રમક નિવેદનો આપીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

આદમપુર સ્થિત ભારતીય વાયુસેના સ્ટેશન પર, વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં છે, પરંતુ જો ઉશ્કેરવામાં આવે તો તે દુશ્મનને હરાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે આતંકના માસ્ટર્સ હવે સમજી ગયા છે કે ભારત તરફ નજર ઉંચી કરવાથી ફક્ત એક જ પરિણામ મળશે – વિનાશ. ભારતમાં નિર્દોષ લોકોના લોહી વહેવડાવવાનું એક જ પરિણામ આવશે – વિનાશ અને સામૂહિક વિનાશ. પંજાબના આદમપુર એરબેઝ પર ભારતીય વાયુસેનાના વાયુ યોદ્ધાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘જે પાકિસ્તાની સેના પર આ આતંકવાદીઓ આધાર રાખતા હતા તેને ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીયોએ હરાવી દીધી છે.’ ભારતીય દળોએ પાકિસ્તાની સેનાને પણ બતાવી દીધું છે કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિનો શ્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને તમારા પર હુમલો કરીશું અને તમને ભાગવાનો મોકો પણ નહીં આપીએ.

 

આ પણ વાંચો-  આદમપુર એરબેઝની મુલાકાત કરીનને PM મોદીએ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો, આ સંદેશ આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *