gujarat samay

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 4 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, તાપી નદીનો વીયર-કમ-કોઝવે બંધ

સુરત વરસાદ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન 2025ના રોજ સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને સુરતમાં, વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો…

Read More

મહેમદાવાદના વોર્ડનં-3ના કાઉન્સિલર ક્યાં ગાયબ? ખાડા અને ગંદકીથી પ્રજા ત્રાહિમામ!

મહેમદાવાદ-પ્રિમોન્સુન :  મહેમદાવાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ શહેરની પરિસ્થિતિ ગંભીર બની છે. ચોમાસા પહેલાં 15 દિવસમાં નગરપાલિકાએ શહેરભરમાં આડેધડ ખાડા ખોદી નાખ્યા, જેના પરિણામે મૂશળધાર વરસાદે રસ્તાઓની હાલત બગાડી દીધી. ખાત્રેજ દરવાજાથી વહોરવાડ અને સાંકડા બજાર સુધીનો મુખ્ય રસ્તો ખાડાઓના કારણે બંધ કરવો પડ્યો, જેની સૌથી વધુ…

Read More

AMC Recruitment 2025: AMCમાં પરીક્ષા વિના ₹1.75 લાખ સુધીની મેળવો નોકરી! જાણો તમામ વિગતો

AMC Recruitment 2025: અમદાવાદમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ખુશખબર! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (N.C.D.C.) ગ્રાન્ટ અંતર્ગત મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ માટે 11 માસના કરાર આધારે પાંચ જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો માટે AMCએ વોક-ઈન-ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે,…

Read More

વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ભાજપના રાજેશ ચાવડાનો ભવ્ય વિજય

વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડી દીધા. આમ આદમી પાર્ટીને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મતો…

Read More

સીરિયાના દમાસ્કસ ચર્ચમાં મોટો આત્મઘાતી હુમલો,20 લોકોના મોત, અનેક ઘાયલ

સીરિયા દમાસ્કસ ચર્ચમાં આત્મઘાતી હુમલો: રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો. આ હુમલામાં 20 લોકો માર્યા ગયા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો રાજધાનીના મધ્યમાં થયો હતો, જે સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી…

Read More

અમદાવાદમાં યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન

યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા અમદાવાદના સરખેજ સ્થિત  અહદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે઼ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં રહેતા સૈયદ સમાજના એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું , સૈયદ સમાજના ધોરણ 10 અને 12માં ધોરણમાં સારા ટકા લાવ્યા હોય તેવા વિધાર્થીઓનો ખાસ સન્માન રાખવામાં…

Read More

મહેમદાવાદમાં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત 12મી ભવ્ય રથયાત્રા નીકળશે, 130 નિવૃત સૈનિકો કરશે રથનું સંચાલન

મહેમદાવાદ રથયાત્રા: અષાઢી બીજના પવિત્ર દિવસે મહેમદાવાદના વાત્રક નદીના કિનારે આવેલા ભવ્ય સિદ્ધિવિનાયક મંદિરથી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા સવારે 9 વાગ્યે પ્રસ્થાન કરશે. આ રથયાત્રાનું સંચાલન 130 નિવૃત્ત સૈનિકો દ્વારા કરવામાં આવશે, જેમાં મહેમદાવાદ તાલુકાના 52 ગામોના હજારો શ્રદ્ધાળુઓએ એક મુઠી મગ અભિયાન હેઠળ મગ દાન કરીને ભાગ લીધો છે. આ…

Read More

મહેમદાવાદના દંપતી સાથે 14 લાખની ઠગાઈ: કેનેડા વિઝાના નામે પ્રાનીલ એજ્યુકેશનના સંચાલકોએ કરી છેતરપિંડી

વર્ક પરમિટ વિઝા છેતરપિંડી:  મહેમદાવાદના રહેમતનગર વિસ્તારમાં રહેતા ખુશ્બુ નિઝામુદ્દીન સૈયદ અને તેમના પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસના સંચાલકો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ…

Read More

USના હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી,ઇરાને સત્તાવાર આપ્યું નિવેદન

Iran-Israel War –અમેરિકા હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ જોડાઈ ગયું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ સેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સુવિધાઓ પર ‘ખૂબ જ સફળ’ હુમલા કર્યા છે. અગાઉ, ઈરાને ઇઝરાયલ તરફ ડઝનબંધ ડ્રોન છોડ્યા હતા. યુએસ હુમલા બાદ, ઈરાનની પરમાણુ એજન્સી દ્વારા એક નિવેદન જારી…

Read More

અમેરિકાએ B-2 બોમ્બથી ઈરાનમાં મચાવી ભારે તબાહી!

 B-2 બોમ્બ: છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા હવે આ યુદ્ધમાં પ્રવેશી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમેરિકાના હુમલાની માહિતી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કરવામાં આવ્યો છે. એવું…

Read More