gujarat samay

રોહિત-બુમરાહએ મુંબઈને અપાવી જીત, ગુજરાત ટાઇટન્સ IPLમાંથી બહાર

 ગુજરાત ટાઇટન્સ IPLમાંથી બહાર- પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે તેના છઠ્ઠા ખિતાબ તરફ વધુ એક પગલું ભર્યું છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી હતી. મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી અને રોહિત શર્માની શાનદાર ઇનિંગના આધારે પ્લેઓફ ઇતિહાસમાં સૌથી વધુ 228…

Read More

તુર્કીને ભારતનો વધુ એક ઝટકો,IndiGo ટર્કિશ એરલાઈન્સ સાથેની ભાગીદારી તોડશે!

IndiGo ટર્કિશ એરલાઈન્સ- ભારત અને તુર્કી વચ્ચેના સંબંધો ત્યારે બગડ્યા જ્યારે તુર્કીએ પાડોશી દેશ પાકિસ્તાનને ટેકો આપ્યો. હવે આ કડવાશની અસર ઉડ્ડયન ક્ષેત્ર પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈન્ડિગો એરલાઈન્સે ટર્કિશ એરલાઈન્સ સાથેના કોડ-શેરિંગ અને ડેમ્પ લીઝ કરારનો અંત લાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તુર્કીએ તાજેતરમાં પાકિસ્તાનને ટેકો…

Read More

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: NEET PG 2025 ની પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે

સુપ્રીમ કોર્ટ NEET PG પરીક્ષા- સુપ્રીમ કોર્ટે NEET PG પરીક્ષા પર મોટો નિર્ણય આપ્યો છે. શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) ને NEET PG 2025 પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું – બે શિફ્ટમાં પરીક્ષા લેવાથી મનસ્વીતા થાય છે. ‘કોઈપણ બે પ્રશ્નપત્રોની મુશ્કેલી અથવા સરળતાનું…

Read More

પાકિસ્તાનના સુરબ શહેર પર બલુચિસ્તાન સેનાએ કર્યો કબજો

સુરબ શહેર પર કબજો- પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બલુચિસ્તાનના મહત્વપૂર્ણ શહેર સુરબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. BLA પ્રવક્તા જયંદ બલોચે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ સુરબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ સાથે, BLA દ્વારા સુરબના પોલીસ…

Read More
ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ નિયમ

ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટે નવા નિયમ જાહેર,બે પોલીસકર્મી પ્રવાસમાં રહેશે હાજર!

ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ નિયમ – વડોદરામાં હરણી બોટકાંડમાં શાળાના પ્રવાસ દરમિયાન બાળકોના મોતની દુઃખદ ઘટના બાદ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલાં લીધાં છે. રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં હવે દરેક સ્કૂલ પ્રવાસમાં બે યુનિફોર્મધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હશે, તો મહિલા…

Read More

બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘કેચ ધ રેઇન’ હેઠળ રિચાર્જ કૂવા નિર્માણનો કરાવ્યો શુભારંભ

કેચ ધ રેઇન – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જન ભાગીદારી સાથે ભૂગર્ભ જળસંચય માટે રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે. આ અભિયાનનો હેતુ ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા અને ગુજરાતને જળસંચયના ક્ષેત્રે…

Read More
કડી-વિસાવદર પેટા ચૂંટણી

હવે કડી-વિસાવદરમાં ત્રિપાંખિયો નહીં ચતુષ્કોણીય જંગ,બાપુએ જાહેર કર્યા ઉમેદવાર

કડી-વિસાવદર પેટા ચૂંટણી – ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ બેઠકો જીતવા માટે ભાજપ, આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. વિસાવદર બેઠક…

Read More

વૈભવ સૂર્યવંશીએ પટના એરપોર્ટ પર PM મોદી સાથે કરી મુલાકાત

વૈભવ સૂર્યવંશી PM મોદી મુલાકાત – વૈભવ સૂર્યવંશી ૩૦ મે (શુક્રવાર) ના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. ૧૪ વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમી હતી. ગુજરાત…

Read More

આણંદમાં અલ-ફલાહ ટૂર્સનો શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, MOU સાઇન કર્યા

શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર-  કેરળના મલપ્પુરમ જિલ્લાના વલાનચેરીના રહેવાસી 30 વર્ષીય શિહાબ ચોત્તુરે 8,640 કિલોમીટરની પગપાળા હજ યાત્રા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ શિહાબે આણંદ જિલ્લામાં પગ મૂકીને અલ-ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આણંદ સાથે ખાસ MOU કર્યા  છે. શિહાબે અલ-ફલાહના માલિક અનિશભાઈ વિરાણી સાથે હજ, ઉમરાહ અને ઝિયારત માટેની સેવાઓને વધુ મજબૂત કરવા એક મહત્વના…

Read More

મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ- મહેમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહી છે, જેના કારણે તેમનું આરોગ્ય અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરશે, કે પછી આંખ આડા કાન…

Read More