તિબેટમાં તબાહી, ભૂકંપના આંચકા ફરી અનુભવાયા, 95 લોકોના મોત, 63 ગંભીર ઇજાગ્રસ્ત

Earthquake in Tibet

Earthquake in Tibet – તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. આ પહેલા મંગળવારે ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝ શહેરમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા હતા અને 62 અન્ય ઘાયલ થયા હતા. પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્યાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે (ચીન સમય અનુસાર) સવારે 9:05 વાગ્યે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝ શહેરમાં ડિંગરી કાઉન્ટીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર તિંગરી કાઉન્ટીના શિજાંગમાં હતું.
Earthquake in Tibet- સરકારી સમાચાર એજન્સી ‘સિન્હુઆ’ના સમાચાર અનુસાર, 6.8ની તીવ્રતાના ભૂકંપના કારણે 53 લોકોના મોત થયા છે અને 62 લોકો ઘાયલ થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અને ભારતીય રાષ્ટ્રીય સિસ્મોલોજીકલ સેન્ટરે ભૂકંપની તીવ્રતા 7.1 હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ નેપાળમાં ખુમ્બુ હિમાલયની શ્રેણીમાં લોબુત્સેથી લગભગ 90 કિલોમીટર ઉત્તરપૂર્વમાં ચીનના ટિંગ્રી કાઉન્ટીમાં શિઝાંગ ખાતે હતું. જોકે, ચીને ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી છે. ‘સિન્હુઆ’ અનુસાર, ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

નેપાળમાં પણ ધરતી ધ્રૂજી
આ દરમિયાન નેપાળના કાઠમંડુમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની અસર કાબ્રેપાલનચોક, સિંધુપાલનચોક, ધાડિંગ અને સોલુખુમ્બુ જિલ્લામાં પણ અનુભવાઈ હતી. કાઠમંડુમાં ભૂકંપના આંચકાથી ગભરાઈને લોકો ઘરની બહાર આવી ગયા હતા. થોડા સમય માટે લોકોએ રસ્તાઓ પર ઝાડ અને ઈલેક્ટ્રીક વાયર ધ્રૂજતા જોયા હતા. યુએસજીએસના અહેવાલ મુજબ, સવારે 7 વાગ્યાની આસપાસ એક કલાકમાં ઓછામાં ઓછા છ વખત ચારથી પાંચની તીવ્રતાના ભૂકંપ નોંધાયા હતા. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે નેપાળના લોકો ડરી ગયા. તે 2015 માં આવેલા મોટા ભૂકંપની યાદ અપાવે છે જેમાં 9,000 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો –  HMPV virus : શું છે આ ખતરનાક બીમારી અને કેવી રીતે કરી શકાય સાવચેતી? જાણો સંપૂર્ણ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *