ભારતના આક્રમણ વલણથી પાકિસ્તાનમાં ખૌફ, ટ્રમ્પના શરણે પહોંચ્યા!

પાકિસ્તાનમાં ખૌફ – જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ઘાતક આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અત્યંત તીવ્ર બન્યો છે. હુમલામાં બૈસરણ મેદાનમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો હતા. ભારત સરકારે હુમલા માટે પાકિસ્તાનના આતંકી સમૂહો અને તેમને ટેકો આપનારી પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી છે. ઘટનાએ બંને દેશો વચ્ચે રાજદ્વારી અને લશ્કરી તણાવને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે.
પાકિસ્તાનમાં ખૌફ- ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો હાથ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાને “કાયરતાપૂર્ણ” ગણાવીને આતંકીઓ અને તેમના સમર્થકોને “અણધાર્યા પરિણામો”ની ચેતવણી આપી છે. ભારતે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા છે, જેમાં 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ બંધ કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને રાજદ્વારી સંબંધો ઘટાડવાનો સમાવેશ થાય છે

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બ્રિટિશ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ભારતના આરોપોને નકારી કાઢ્યા અને હુમલાને “ભારતનું આંતરિક બળવો” ગણાવ્યો. તેમણે ભારત સાથે “ઓલ આઉટ વોર” (સંપૂર્ણ યુદ્ધ)ની શક્યતા વ્યક્ત કરી અને કહ્યું કે, “બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ વૈશ્વિક ચિંતાનો વિષય છે.” આસિફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી અને ચેતવણી આપી કે, “ભારતની કોઈ પણ કાર્યવાહીનો પાકિસ્તાન યોગ્ય જવાબ આપશે.”

આસિફે દાવો કર્યો કે હુમલો “ફોલ્સ ફ્લેગ ઓપરેશન” હોઈ શકે છે અને ભારત પોતાના શહેરોમાં આતંકી હુમલાઓનું આયોજન કરી રહ્યું છે. તેમણે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની આશા વ્યક્ત કરી, પરંતુ સાથે જ ભારતની સંભવિત લશ્કરી કાર્યવાહીનો સામનો કરવા પાકિસ્તાનની તૈયારીની વાત પણ કરી.આ હુમલાને વિશ્વભરના નેતાઓએ વખોડ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને યુકેના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે હુમલાની નિંદા કરી અને ભારત પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને “મહત્તમ સંયમ” રાખવા અપીલ કરી છે.

બંને દેશોની પરમાણુ શક્તિને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે કોઈ પણ લશ્કરી સંઘર્ષ વિનાશક પરિણામો લાવી શકે છે. 2016ના ઉરી હુમલા અને 2019ના પુલવામા હુમલા બાદ ભારતે અનુક્રમે “સર્જિકલ સ્ટ્રાઇક” અને “બાલાકોટ એરસ્ટ્રાઇક” કરી હતી, જેનો પાકિસ્તાને જવાબ આપ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે ભારતનું પ્રતિભાવ વધુ આક્રમક હોઈ શકે છે, જે સંઘર્ષને વધુ ખતરનાક બનાવી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *