રમઝાન માસ પૂર્વે કેસરામાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ

પવિત્ર રમઝાન માસના આગમન પૂર્વે જરૂરિયાતમંદ પરિવારોને સહાયભૂત થવાના ઉમદા આશય સાથે આજે કેસરા મુકામે એક વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સેવાની સરવાણી વહાવતા નિઃશુલ્ક અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ભગીરથ કાર્યમાં નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના સંયુક્ત સહયોગથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને પચાસ કિલો વજનની અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી. આ અનાજ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, પવિત્ર રમઝાન માસ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ શાંતિથી ઈબાદત કરી શકે.

 

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રમઝાન એ માત્ર ઉપવાસનો જ નહીં પરંતુ માનવસેવા અને જરૂરિયાતમંદોના આંસુ લૂછવાનો પવિત્ર અવસર છે. આ હેતુને સાર્થક કરવા માટે જ આ નિઃશુલ્ક રાશન વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કેસરા ખાતે યોજાયેલા આ આયોજનથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બંને સંસ્થાઓના સમન્વયથી થયેલા આ પ્રેરણાદાયી કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

 

આ પણ વાંચો:  મહેમદાવાદના ઐતિહાસિક ‘રોજા અને રોજી’ની ASI ટીમે કરી મુલાકાત,તકતી પરની ભૂલ ASI સુધારશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *