Maa Shabri Smriti Yatra Yojana : ગુજરાત સરકાર કરાવશે રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા

Maa Shabri Smriti Yatra Yojana

Maa Shabri Smriti Yatra Yojana  : રાજ્યના યાત્રાળુઓ માટે ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા સુધીની યાત્રા સરળ બને, તે માટે ગુજરાત સરકારે “શ્રીરામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના” શરૂ કરી છે. આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર, 2024 સુધી ઉપલબ્ધ છે, અને યાત્રાળુઓ https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration પર રજિસ્ટ્રેશન કરી શકે છે.

રાજ્ય સરકારની આ પહેલ તદ્દન તે લોકો માટે છે, જેઓ આર્થિક મર્યાદાઓના કારણે અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિનાં દર્શન કરવા જઈ શકતા નથી. આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને 5000 રૂપિયાના રેલવે ભાડા માટે પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

યોજનાની મહત્વપૂર્ણ લાયકાતો અને શરતો: Maa Shabri Smriti Yatra Yojana
 12 વર્ષ અથવા તેથી વધુ વયના ગુજરાતના તમામ નાગરિકો.
અનુસૂચિત જનજાતિ-વનવાસી અને તમામ વર્ગના નાગરિકોને જીવનકાળમાં ફક્ત એક વાર આ યોજનાનો લાભ લેવાની તક મળશે.

રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો:

આધારકાર્ડ
જાતિનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ
આ તમામ દસ્તાવેજો “સ્વપ્રમાણિત” હોવા જોઈએ.

યાત્રાના પુરાવા:

રેલવે ટિકિટ
રોકાણનો પુરાવો અથવા ધર્માદા કરેલી પહોંચ
અયોધ્યા મંદિર સહિતના યાત્રાના 3 રંગીન ફોટોગ્રાફ
આ પુરાવા યાત્રા પૂર્ણ થયા પછી એક મહિનામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરમાં રજૂ કરવાના રહેશે.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

રજિસ્ટ્રેશનમાં દર્શાવેલા સમયગાળા દરમ્યાન જ યાત્રા કરવાની રહેશે.
જો સમયગાળા દરમિયાન યાત્રા ન થાય, તો મંજૂરી આપમેળે રદ થઈ જશે અને નવું રજિસ્ટ્રેશન કરવું પડશે.
અધૂરી અરજી નામંજૂર કરવામાં આવશે, અને બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
આ યોજના રાજ્યના નાગરિકોને ભગવાન શ્રીરામના પવિત્ર દર્શન કરવા માટે શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. લોકો આ લાભ લેવાની તક ગુમાવ્યા વિના સમયસર અરજી કરે, તે જરૂરી છે.

આ પણ વાંચો – સંસદની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપના સાંસદના માથામાં ગંભીર ઇજા, રાહુલ ગાંધીએ માર્યો ધક્કો!

આ પણ વાંચો-  Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી, જાણો સલમાન ખાને કેમિયો માટે કેટલો ચાર્જ લીધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *