Makar Sankranti 2025: મકર સંક્રાંતિ: સુખ-સમૃદ્ધિ અને ધનલક્ષ્મી પ્રાપ્તિ માટે અજમાવો આ ખાસ ઉપાયો!

Makar Sankranti 2025

Makar Sankranti 2025: મકર સંક્રાંતિને ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવાતા આ પર્વે દાન-પુણ્ય અને સૂર્યદેવની પૂજાનું વિશેષ ફળ મળે છે. આ દિવસે કરાયેલા ઉપાયોથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને તિજોરી ભરેલી રહે છે.

મકર સંક્રાંતિના ખાસ ઉપાયો:
કોડીઓનો ઉપયોગ:

14 કોડીઓ લઈને તેને કેસરમિશ્રિત દૂધથી સ્નાન કરાવો.
પછી ગંગાજળથી શુદ્ધ કરી માં લક્ષ્મીની મૂર્તિ આગળ રાખો.
ઘીના દીવા અને તલના તેલના દીવા સાથે પૂજા કરો.
ઘીના દીવાને ડાબી બાજુ અને તલના તેલના દીવાને જમણી બાજુ રાખો.
“ૐ સંક્રાત્યાય નમ:” મંત્રનો 14 વાર જાપ કરો.
તલના તેલનો દીવો ઘરના મુખ્ય દ્વાર પર અને ઘીના દીવો તુલસીના બિરુડ પાસે રાખો.

સૂર્યદેવને અર્પણ:

સવારમાં સ્નાન પછી સૂર્યદેવની પૂજા કરો.
રોલી, મોલી, લવિંગ, ગોળ, દૂધ અને હળદર સાથે સૂર્યદેવને અર્પણ કરો.
કાળા તલ, લાલ ફૂલ અને રોલીનું પાણી ભરી સૂર્યદેવને પ્રણામ કરો.
આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતીની સ્થાપના થાય છે. આ મકર સંક્રાંતિ પર આ ઉપાયો અજમાવો અને ધનલક્ષ્મીના આશીર્વાદ મેળવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *