ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જાણો કોણ છે પંકજ જોશી
પંકજ જોશી 1989 બેચના IAS ઓફિસર છે. તેઓ મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે. હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. . પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.અધિક ગૃહ સચિવની રેસમાં પંકજ જોશી પહેલેથી જ મોખરે હતા. તો IAS શ્રીનિવાસ અને ACS એ.કે. રાકેશ પણ રેસમાં હતા. જેમાં પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે.