ગુજરાતના મંત્રી Bachu Khabad ના ભાવિ પર ઉભા થયા સવાલો! વિધાનસભા સત્રથી દૂર રખાયા

Bachu Khabad :

Bachu Khabad : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી માત્ર ત્રણ દિવસ માટે યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટૂંકા સત્રમાં શોક પ્રસ્તાવ, સરકારી કામકાજ અને બિલ રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવશે.

Bachu Khabad :  સત્રના પ્રથમ દિવસે શોકગ્રસ્તોના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવશે. 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ગૃહમાં સરકારી કામકાજ અને મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. આ ટૂંકા સત્રમાં વિધાનસભા દ્વારા રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો લેવામાં આવશે.મનરેગા કૌભાંડ અને મંત્રી બચુ ખાબડ ની ગેરહાજરીદાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ બાદ રાજકીય વિવાદ ઉભો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ કૌભાંડને કારણેખાબડને સરકારી કામકાજ અને મંત્રીમંડળની બેઠકોમાંથી દૂર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેઓ વિધાનસભાના આગામી સત્રમાંથી પણ ગેરહાજર રહેવાની શક્યતા છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ બચુ ખબરના મંત્રાલયના જવાબો વિધાનસભામાં આપશે.

સૂત્રોનું માનીએ તો, આગામી મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન બચુ ખાબડને બાકાત રાખવામાં આવી શકે છે. પોલીસ તપાસ અને રાજકીય અસરદાહોદમાં મનરેગા કૌભાંડની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલી રહી છે. બચુ ખબરના પુત્રોની ધરપકડ બાદ આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરવા અને કાયદેસરની કાર્યવાહી ઝડપી કરવા માટે પગલાં લીધાં છે. આ ટૂંકું સત્ર રાજ્યના રાજકીય અને વહીવટી વાતાવરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો:  સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: ડીઈઓએ રચી પાંચ સભ્યોની તપાસ કમિટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *