ઔરંગઝેબની કબરના વિવાદ પર રાજ ઠાકરે આપ્યું મોટું નિવેદન, વોટ્સએપ પર ઈતિહાસ વાંચવાનું બંધ કરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે ઔરંગઝેબની કબર પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ઈતિહાસને જાતિ અને ધર્મના પ્રિઝમથી ન જોવો જોઈએ. તેમણે લોકોને વોટ્સએપ પર મોકલેલા મેસેજના આધારે ઈતિહાસ સમજવાનું ટાળવાની સલાહ આપી હતી અને સાચી ઐતિહાસિક હકીકતો જાણવા માટે પુસ્તકો વાંચવાની અપીલ કરી હતી. ઠાકરેએ કહ્યું કે, ધર્મના આધારે કોઈ દેશ પ્રગતિ કરી શકતો નથી. તુર્કીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ધર્મ તમારા ઘરની ચાર દીવાલની અંદર રહેવો જોઈએ. જ્યારે મુસ્લિમો રસ્તા પર ઉતરે અથવા તોફાનો થાય ત્યારે જ હિંદુઓને અલગ રીતે ઓળખવામાં આવે છે. જો આવું ન થાય તો હિંદુઓ જાતિના આધારે વિભાજિત થાય છે.

રાજ ઠાકરેનું નિવેદન
શિવાજી પાર્ક ખાતે તેમની વાર્ષિક ગુડી પડવા રેલીને સંબોધતા, ઠાકરેએ કહ્યું કે મુઘલ શાસક ઔરંગઝેબે “શિવાજી નામની વિચારધારા” ને ખતમ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો અને આખરે મહારાષ્ટ્રમાં માર્યો ગયો. તેમણે કહ્યું કે બીજાપુર કમાન્ડર અફઝલ ખાનને પ્રતાપગઢ કિલ્લા પાસે દફનાવવામાં આવ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજની પરવાનગી વિના આ શક્ય નહોતું.

વોટ્સએપ પર ઈતિહાસ વાંચવાનું બંધ કરો અને ઈતિહાસના પુસ્તકો વાંચવાનું શરૂ કરો…
રાજ ઠાકરેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દક્ષિણપંથી સંગઠનો છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે આ મહિનાની શરૂઆતમાં નાગપુરમાં પણ હિંસા ફાટી નીકળી હતી. તેમણે કહ્યું, શું આપણે દુનિયાને કહેવા નથી માગતા કે આ લોકોએ મરાઠાઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના બદલે તેઓ પોતે જ ખતમ થઈ ગયા હતા. વોટ્સએપ પર ઈતિહાસ વાંચવાનું બંધ કરો અને ઈતિહાસના પુસ્તકો વાંચો. લોકોને વિચલિત ન થવા વિનંતી કરતા તેમણે કહ્યું કે શિવાજી પહેલા અને શિવાજી પછીના યુગમાં સામાજિક-રાજકીય પરિસ્થિતિઓ અલગ હતી.

રાજ ઠાકરેએ કહ્યું કે આપણે આપણા વર્તમાન સમયની વાસ્તવિક સમસ્યાઓ ભૂલી ગયા છીએ. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’નો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું કે જે હિંદુઓ માત્ર ફિલ્મ જોઈને જાગૃત થઈ જાય છે તેનો કોઈ ફાયદો નથી. તેણે લોકોને પૂછ્યું, શું તમે વિકી કૌશલની ફિલ્મમાંથી સંભાજી મહારાજના બલિદાન વિશે અને અક્ષય ખન્નાના કારણે ઔરંગઝેબ વિશે જાણો છો? તેમણે કહ્યું કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો. તેમણે કહ્યું કે જે લોકો પોતાના સ્વાર્થી રાજકીય આકાંક્ષાઓ માટે લોકોને ઉશ્કેરે છે તેમને ઈતિહાસની કોઈ ચિંતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *