આતંકવાદી સમાજમાં ભાગલા પાડવા માગે છે: રાહુલ ગાંધી

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ આજેરાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે  ગયા છે. આ દરમિયાન તે આતંકવાદી હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને પણ મળ્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ ન થવા દઈએ. હું બધાને કહેવા માંગુ છું કે આખો દેશ સાથે છે. જે કંઈ થયું છે તેની પાછળનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે.

રાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે – રાહુલ ગાંધીએ કહ્યું કે એ જોઈને દુઃખ થાય છે કે જમ્મુ-કાશ્મીરમાં કેટલાક લોકો અમારા ભાઈ-બહેનો પર હુમલો કરી રહ્યા છે. જે કંઈ થયું છે તેની પાછળનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે. હું ઘાયલ પીડિતોમાંથી એક તેમજ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને એલજી મનોજ સિન્હાને મળ્યો છું. તેમણે કહ્યું કે મારો પ્રેમ અને લાગણી એ લોકો પ્રત્યે છે જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. અમે ગઈ કાલે સરકાર સાથે બેઠક કરી હતી. અમે કહ્યું કે અમે સરકારના દરેક પગલાને સમર્થન આપીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું અહીંયા શું થઈ રહ્યું છે તે જાણવા આવ્યો છું. જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ આ હુમલાની નિંદા કરી છે અને સમગ્ર દેશને સમર્થન આપ્યું છે. હું બધાને કહેવા માંગુ છું કે આખો દેશ એક થઈને ઊભો છે. અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક ભારતીય એક થાય, સાથે રહે, જેથી આપણે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને નિષ્ફળ બનાવી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *