વક્ફ બિલ લોકસભામાં રજૂ, સરકારની અગ્નિપરીક્ષા, વિપક્ષનો વિરોધ

કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજૂ કર્યું છે, જેના પર આગામી આઠ કલાક સુધી ચર્ચા થવાની સંભાવના છે. આ અંગે એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે જોરદાર ચર્ચા અને હોબાળો થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે, જેથી તેઓ ચર્ચા દરમિયાન ગૃહમાં હાજર રહે.

NDAના સાથી પક્ષો-જનતા દળ (યુનાઇટેડ) [JD(U)], તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) -એ બિલને સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’એ આ બિલને બંધારણ વિરોધી ગણાવીને તેનો જોરદાર વિરોધ કરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષોએ તેને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આ બિલ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનની અપીલ કરી છે. જો કે સંખ્યાત્મક સંખ્યાના આધારે એનડીએ લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે. ગઠબંધન પાસે 293 સાંસદો છે, જ્યારે બિલ પસાર કરવા માટે 272 મતોની જરૂર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *