pune accident : પૂણેમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના ઘટનાસ્થળે મોત

pune accident – મહારાષ્ટ્રના પુણે ખાતે એક વિચિત્ર અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં 9 જણના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર, એક ટ્રકે એક મિની વાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે આ ભીષણ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 9 લોકો મૃત્યુના મુખમાં હોમાઇ ગયા હતા.

pune accident- આ અકસ્માત પુણેના નારાયણગાંવ વિસ્તારમાં બન્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત નાશિક-પુણે હાઇ-વે પર થયો હતો. એક પૂરપાટ વેગે આવતી ટ્રકે તેની આગળ જઇ રહેલી મિની વાનને પાછળથી ટક્કર મारी, જેના કારણે મિની વાન એક બાજુ પર ઊભેલી બસ સાથે ટકરાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મિની વાનમાં સવાર 9 લોકો તત્કાળ મોતને ઘાટ ઉતરી ગયા. ઘટના સમયે સાઇટ પર પાર્ક કરેલી બસમાં કોઇ પણ નહોતું.

નોંધનીય છે કે શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ જ બન્યો હતો. નારાયણગાંવ તરફ જઇ રહેલી મિની વાનને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ત્યાર બાદ આ મિની વાન રસ્તા પર એક સાઇડમાં ઊભેલી બસ સાથે ટકરાઇ ગઇ ,આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની વાનમાં સવાર 9 જણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને કારણે આ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મૃતકોમાં ચાર મહિલા, ચાર પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ શરૂ કરી છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ ટ્રકના ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે અને ટ્રકને કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *