India-Pak Conflict- ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા. તે ડ્રોનને ભારતીય સૈન્ય દળોએ તોડી પાડ્યા છે. જોકે, આ સમય દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલો છે. આ વિવાદ વચ્ચે, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા પરિસ્થિતિ અંગે બ્રીફિંગ આપવામાં આવી રહી છે. આ દરમિયાન, NSA અજિત ડોભાલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે.
સંરક્ષણ અને વિદેશ મંત્રાલયની બ્રીફિંગ
India-Pak Conflict- ભારત-પાકિસ્તાન વિવાદ અંગે સેના અને વિદેશ મંત્રાલય દ્વારા બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે, પહેલા પણ ઘણી વાર એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. આજે સવારે પણ, અમને પાકિસ્તાન દ્વારા આવી જ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો અને યોગ્ય જવાબ આપ્યો.
સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો
બ્રીફિંગ દરમિયાન, સેનાએ કહ્યું કે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના 4 એરબેઝ પર કાર્યવાહી કરવામાં આવી. પાકિસ્તાનના કમાન્ડ સેન્ટરોનો નાશ કરવામાં આવ્યો. સેના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પાકિસ્તાને હાઇ સ્પીડ મિસાઇલથી હુમલો કર્યો છે. 26 સ્થળોએ ઘૂસણખોરીનો પ્રયાસ પણ કર્યો. ભારતીય સશસ્ત્ર દળોએ મોટાભાગના ખતરાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન તરફથી ખોટા સમાચાર ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અહેવાલોમાં સુરતગઢ અને સિરસામાં ભારતીય S-400 સિસ્ટમ અને એરફિલ્ડનો નાશ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારત દ્વારા આ ખોટા સમાચારોને નકારી કાઢવામાં આવે છે. અમારું S-400 સંપૂર્ણપણે સલામત છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યા છીએ. આજે સવારે પાકિસ્તાને રાજૌરી શહેર પર ગોળીબાર કર્યો. આમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપાનું અવસાન થયું. આ ઉપરાંત, ઘણા નાગરિકોના જાનહાનિ થયા અને નુકસાનમાં વધારો થયો
આ પણ વાંચો – PSL 2025 Suspended: UAE એ પાકિસ્તાનને PSLની મેચ માટે કર્યો ઇનકાર