ભાજપ સાંસદનો મોટું નિવેદન, ‘જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ’

વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો કાયદો સુપ્રીમ કોર્ટ બનાવે છે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું છે. અગાઉ, વકફ કાયદા સામેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ કાયદાકીય મામલામાં ટિપ્પણી કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે વિધાનસભા અને ન્યાયતંત્રએ એકબીજાનું સન્માન કરવું જોઈએ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *