સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું, આગામી બે દિવસ હિટવેવની આગાહી

ગુજરાતમાં ઉનાળાની આકરા શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઉંચું નોંધાઈ રહ્યું છે. બુધવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45 ડિગ્રી નોંધાઈ ગયું હતું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ પારો રહ્યો. બીજી તરફ, દ્વારકામાં તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના બાકીના વિસ્તારોની તુલનામાં થોડું હળવું રહ્યું. કચ્છ…

Read More

અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી રહેશે બંધ

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આ સેવા ઉપલબ્ધ નહીં હોય. અંબાજી ગબ્બર પર આ નિર્ણય મધમાખીના પૂડા ઉડાડવાની કામગીરીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટના…

Read More

આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી…

Read More

ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…

Read More

ગુજરાતના દરિયાકાંઠે ₹1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી

ગુજરાતમાં જેમ દરરોજ દારૂ પકડાતો હોય તેમ હવે ડ્રગ્સ પણ વારંવાર ઝડપાતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે મધરાતે સમુદ્ર માર્ગે આવતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાયો છે.ગઈકાલે પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન લગભગ ₹1800 કરોડની કિંમતના 300 કિલોગ્રામ એમડી…

Read More

ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET પરીક્ષાના પરિણામની તારીખ કરાઇ જાહેર

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને GUJCETની પરીક્ષાના પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2025માં લેવાયેલ પરીક્ષાઓનું પરિણામ 17 એપ્રિલ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી જાહેર કરવામાં આવશે. પરિણામ…

Read More

ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More

જુહાપુરામાં સૌપ્રથમવાર અતિઆધુનિક અમવા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને…

Read More

મહેમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું કરાયું લોકાપર્ણ

મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહેમદાવાદના સ્ટેશન રોડ પર ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજા હોલનનું લોકાપર્ણ થતા મહેમદાવાદની પ્રજામાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. નોંધનીય છે કે પૂજ્ય રવિશંકર મહારાજા હોલ 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં…

Read More