નવસારીમાં ટેન્કર પલટતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની રેલમછેલ

નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર  એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. રાજહંસ સિનેમા નજીક હાઈવે પર ગાય અચાનક રસ્તા વચ્ચે આવી જતા ટેન્કર ચલાવે રહેલા ડ્રાઈવરને ડિવાઈડર દેખાયો નહીં અને તેનું નિયંત્રણ ગુમાતાં ટેન્કર પલટી ગયું હતું. આ ટેન્કરમાં અંદાજે 8 હજાર લિટર પેટ્રોલ અને 4 હજાર લિટર ડિઝલ ભરેલું હતું, જે માર્ગ પર…

Read More

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે,AAP સાથે ગઠબંધન નહીં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે…

Read More

અમદાવાદમાં AMC લગાવશે 2,500 નવા CCTV કેમેરા,શહેરની સુરક્ષા વધુ મજબૂત માટે લીધો નિર્ણય

અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. બેઠકમાં અનેક વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં નવા CCTV કેમેરા લગાવવાનો નિર્ણય, હોસ્પિટલોની ક્ષમતા વધારવાનો અભિગમ અને અંગદાન અંગે જાગૃતિ ઝુંબેશનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે શહેરમાં 2,500…

Read More

ગુજરાત સરકારે EVને પ્રોત્સાહન કરવા માટે લીધો મોટો નિર્ણય, 5% ટેક્સ છૂટની જાહેરાત

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EV) પર લાગતો ટેક્સ 5% ઘટાડી દીધો છે. હવે EV પરનો ટેક્સ દર માત્ર 1% રહેશે. આ રાહત આગામી 31મી માર્ચ 2026 સુધી લાગુ રહેશે. રાજ્ય સરકારે આ નક્કી જાહેરાત 2025ના બજેટમાં કરી હતી, જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને…

Read More

ઐતિહાસિક મહેમદાવાદ આજે પણ રોજા-રોજી અને ભમ્મરિયા કૂવાથી છે મશહુર

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ…

Read More

ગુજરાત બન્યું ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત

વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” એ વૈશ્વિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વનો દિવસ છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ચાર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સ સહિત કુલ 18 પ્રકારના હેરિટેજ સ્થળો આવેલાં છે, જેમને દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે આવક મળી રહી છે. યુનેસ્કો દ્વારા ચાંપાનેર-પાવાગઢ, રાણીકી વાવ…

Read More

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું, આગામી બે દિવસ હિટવેવની આગાહી

ગુજરાતમાં ઉનાળાની આકરા શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઉંચું નોંધાઈ રહ્યું છે. બુધવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45 ડિગ્રી નોંધાઈ ગયું હતું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ પારો રહ્યો. બીજી તરફ, દ્વારકામાં તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના બાકીના વિસ્તારોની તુલનામાં થોડું હળવું રહ્યું. કચ્છ…

Read More

અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી રહેશે બંધ

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આ સેવા ઉપલબ્ધ નહીં હોય. અંબાજી ગબ્બર પર આ નિર્ણય મધમાખીના પૂડા ઉડાડવાની કામગીરીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટના…

Read More

આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી…

Read More