આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પણ હવે જાહેર રીતે પાર્ટી સાથે ત્વરિત વિમુખતા જાહેર કરી છે.

મહેશ વસાવા અગાઉ ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા અને વિસ્તરમાં તેમની લોકપ્રિયતા છે. પાર્ટી છોડી દેવાના નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને આગામી સમયમાં તેઓ કઈ નવી રાજકીય દિશા લે છે, તે જોવું રસપ્રદ રહેશે.

નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોના જાણીતા નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે પોતાનો રાજકીય સંબંધ તોડી નાખ્યો છે. મહેશ વસાવાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, “ભાજપમાં રહીને કાર્યને ન્યાય મળતો નથી”, તેથી તેમણે રાજીનામું આપ્યું છે.

મહેશ વસાવા, આદિવાસી સમાજમાં દિગ્ગજ માનવામાં આવતા અને BTP ના સંસ્થાપક છોટુભાઈ વસાવાના પુત્ર છે. તેઓ અગાઉ ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *