ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225 બાળ સિંહોનો સમાવેશ થાય છે.
2020માં કેટલા સિંહ હતા?
ગુજરાત સિંહ વસ્તી – 2020ની સિંહ વસ્તી ગણતરીમાં ગુજરાતમાં કુલ 674 સિંહ નોંધાયા હતા. આ વખતે 891 સિંહો સાથે, ગુજરાતે વન્યજીવ સંરક્ષણમાં મહત્વની સફળતા હાંસલ કરી છે.
ગુજરાત સિંહ વસ્તી – 2020ની સિંહ વસ્તી ગણતરીમાં ગુજરાતમાં કુલ 674 સિંહ નોંધાયા હતા. આ વખતે 891 સિંહો સાથે, ગુજરાતે વન્યજીવ સંરક્ષણમાં મહત્વની સફળતા હાંસલ કરી છે.
ક્યારે અને ક્યાં થઈ ગણતરી?
16મી સિંહ વસ્તી ગણતરી 10થી 13 મે, 2025 દરમિયાન બે તબક્કામાં યોજાઈ હતી. આ ગણતરી ગુજરાતના 11 જિલ્લાઓ—અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ—ના 58 તાલુકાઓમાં હાથ ધરવામાં આવી. આશરે 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાયો હતો.
16મી સિંહ વસ્તી ગણતરી 10થી 13 મે, 2025 દરમિયાન બે તબક્કામાં યોજાઈ હતી. આ ગણતરી ગુજરાતના 11 જિલ્લાઓ—અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ—ના 58 તાલુકાઓમાં હાથ ધરવામાં આવી. આશરે 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાયો હતો.
કેવી રીતે થઈ સિંહ ગણતરી?
એશિયાટિક લાયન લેન્ડસ્કેપ અનુસાર, ગણતરી માટે 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ-ઝોનમાં વિભાજન કરવામાં આવ્યું હતું. 511 સ્વયંસેવકો, રિજનલ અને ઝોનલ અધિકારીઓએ આ કામગીરીમાં ભાગ લીધો. વન વિસ્તારમાં બીટ અને બિન-વન વિસ્તારમાં 3-10 ગામોના જૂથો દ્વારા ગણતરી હાથ ધરાઈ. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી હતી. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું હતું.
એશિયાટિક લાયન લેન્ડસ્કેપ અનુસાર, ગણતરી માટે 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ-ઝોનમાં વિભાજન કરવામાં આવ્યું હતું. 511 સ્વયંસેવકો, રિજનલ અને ઝોનલ અધિકારીઓએ આ કામગીરીમાં ભાગ લીધો. વન વિસ્તારમાં બીટ અને બિન-વન વિસ્તારમાં 3-10 ગામોના જૂથો દ્વારા ગણતરી હાથ ધરાઈ. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી હતી. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું હતું.