નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી સુનાવણી ૮ મેના રોજ નક્કી કરી છે.
નેશનલ હેરાલ્ડ કેસ- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 15 એપ્રિલે નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને સેમ પિત્રોડા અને અન્ય નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ 25 એપ્રિલે EDની અરજી પર સુનાવણી કરી.
પહેલી સુનાવણી 25 એપ્રિલે થઈ હતી
સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ અગાઉ 25 એપ્રિલે EDની અરજી પર સુનાવણી કરી હતી. ત્યારબાદ કોર્ટે રાહુલ સોનિયાને નોટિસ જારી કરવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આરોપીનો પક્ષ સાંભળ્યા વિના અમે નોટિસ જારી કરી શકતા નથી. ચાર્જશીટમાંથી કેટલાક દસ્તાવેજો પણ ગુમ હતા. તેથી, કોર્ટે ED ને તે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું હતું.
₹661 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવશે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 12 એપ્રિલના રોજ આ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ₹661 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દિલ્હી, મુંબઈ અને લખનૌમાં AJL ની ઇમારતોમાં નોટિસ ચોંટાડવામાં આવી હતી.
આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ: ED એ ચાર્જશીટ દાખલ કરી, રાહુલ-સોનિયા અને પિત્રોડા સહિત આ નેતાઓ સામે આરોપો
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ED ને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે યંગ ઈન્ડિયન અને AJL ની મિલકતોનો ઉપયોગ 18 કરોડ રૂપિયાના નકલી દાન, 38 કરોડ રૂપિયાના નકલી એડવાન્સ ભાડા અને 29 કરોડ રૂપિયાની નકલી જાહેરાતોના રૂપમાં આવક મેળવવા માટે કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યંગ ઇન્ડિયનએ 2010 માં AJL ની 5,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હસ્તગત કરી હતી. AJL ના 75 ટકા શેર ગાંધી પરિવાર પાસે છે.
આ પણ વાંચો- વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…