રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સ્થાનિક પાલિકા અને પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ ગઠબંધન નહીં થાય, અને કોંગ્રેસ પોતાના બળે ચૂંટણી લડશે.
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અને કોંગ્રેસની રણનીતિ
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : રાહુલ ગાંધીનો આ પ્રવાસ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આણંદમાં યોજાનારી તાલીમ શિબિરમાં તેઓ જિલ્લા અને શહેર પ્રમુખો, તાલુકા અને નગરપાલિકા નેતાઓ સાથે ચર્ચા કરશે. આ શિબિરમાં કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ સ્થાનિક નેતૃત્વને મજબૂત કરવા અને ગુજરાતમાં પક્ષના પરંપરાગત 40% મતદાર આધારને વધુ 5% વધારવાની રણનીતિ ઘડાશે.
અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “લોકસભા ચૂંટણી 2024માં AAP સાથે ગઠબંધન હતું, પરંતુ હરિયાણા અને દિલ્હીની ચૂંટણીઓ બાદ ગઠબંધનનો નિર્ણય લેવાયો નથી. કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર અને પોતાની તાકાતથી સ્થાનિક ચૂંટણી લડશે.” તેમણે વધુમાં કહ્યું કે, “ગુજરાતમાં AAPની હાજરીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મતોમાં 14%નું નુકસાન કર્યું, જેના કારણે અમે 77થી ઘટીને 17 બેઠકો પર આવી ગયા. હવે મતદારો આ ભૂલ સમજી રહ્યા છે.
રાહુલ ગાંધીના આ પ્રવાસનો મુખ્ય હેતુ 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને મજબૂત કરવાનો છે. આણંદમાં યોજાનારી શિબિરમાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને યુવા મતદારોને આકર્ષવા નવી રણનીતિઓ ઘડશે. ગુજરાતમાં ભાજપના 30 વર્ષના શાસન સામે કોંગ્રેસ ‘નૂતન ગુજરાત-નૂતન કોંગ્રેસ’ના સૂત્ર સાથે આગળ વધી રહી છે.
રાહુલ ગાંધીએ અગાઉ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અમે ભાજપને હરાવીશું, જેમ અમે અયોધ્યામાં કર્યું.” આ નિવેદનથી તેમણે પાર્ટી કાર્યકર્તાઓમાં જોશ ભર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસે 2022ની ચૂંટણીમાં 17 બેઠકો જીતી હતી, પરંતુ ત્યારબાદ પાંચ ધારાસભ્યોના રાજીનામાથી તેની સંખ્યા 12 થઈ ગઈ છે