મહેસૂલ તલાટીની ભરતી – સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-3ની મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પૂર્ણ થશે. ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
ઓનલાઈન અરજીની તારીખો
મહેસૂલ તલાટીનીભરતી – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલ તલાટીની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો 26 મે, 2025થી બપોરે 3:00 વાગ્યાથી 10 જૂન, 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે.
પરીક્ષા અને અભ્યાસક્રમ
આ ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે:
-
પ્રાથમિક પરીક્ષા:
-
200 ગુણની MCQ આધારિત પરીક્ષા.
-
સમય: 3 કલાક.
-
અભ્યાસક્રમ:
-
ગુજરાતી: 20 ગુણ
-
અંગ્રેજી: 20 ગુણ
-
રાજ્ય વ્યવસ્થા-જાહેર વહીવટ: 30 ગુણ
-
અર્થશાસ્ત્ર: 30 ગુણ
-
ઇતિહાસ: 30 ગુણ
-
ભૂગોળ: 30 ગુણ
-
ઇતિહાસ અને વારસો: 30 ગુણ
-
એન્વાયર્નમેન્ટ, સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી: 30 ગુણ
-
કરન્ટ અફેર્સ: 30 ગુણ
-
મેથ્સ અને રીઝનિંગ: 40 ગુણ
-
-
-
મુખ્ય પરીક્ષા:
-
350 ગુણની પરીક્ષા, જે પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે લેવામાં આવશે.
-
શૈક્ષણિક લાયકાત
રાજ્ય સરકારે મહેસૂલ તલાટીનીભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે. હવે આ પોસ્ટ માટે સ્નાતક (Graduation) ફરજિયાત છે, જે અગાઉ 12મું પાસ હતું.
મહત્વની નોંધ
-
ઉમેદવારોએ ojas.gujarat.gov.in પર જઈને નોટિફિકેશન અને અરજી પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવી.
-
અભ્યાસક્રમમાં ફેરફારને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જરૂરી.
-
પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ, રીઝનિંગ, અને કરન્ટ અફેર્સ પર વિશેષ ધ્યાન આપવું.
આ પણ વાંચો-મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?