બુધવારે લોકસભામાં રજૂ થશે વકફ સંશોધન બિલ, 8 કલાક સુધી ચર્ચા થશે

વકફ એમેન્ડમેન્ટ બિલ અંગે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર બુધવારે બપોરે 12 વાગ્યે આ બિલ લોકસભામાં રજૂ કરશે. શાસક પક્ષ વિશે વાત કરતા તેઓ કહે છે કે વકફ સુધારા બિલ દ્વારા તેની મિલકતો સાથે જોડાયેલા વિવાદોનું સમાધાન કરવું સરળ બનશે.વકફ સંશોધન બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આવતીકાલે બપોરે 12 વાગ્યે ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ બિલ પર લોકસભામાં લગભગ 8 કલાક ચર્ચા થશે. જો કે વિપક્ષે 12 કલાક ચર્ચાની માંગ કરી હતી. પરંતુ આમ ન થવાના કારણે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટનું એલાન કર્યું છે.

લોકસભામાં 542 સાંસદોમાંથી 240 સભ્યો ભાજપના છે જ્યારે એનડીએના કુલ સાંસદોની સંખ્યા 293 છે. બિલ પાસ કરવા માટે 272ની જરૂર છે. વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 99 સાંસદો છે. જ્યારે વિપક્ષની કુલ સંખ્યા 233 છે. શિરોમણી અકાલી દળ અને આઝાદ પાર્ટી પાસે એક-એક સાંસદ છે. આ સિવાય કેટલાક અપક્ષ સાંસદો એવા છે જેમણે હજુ સુધી પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું નથી.

આ સિવાય જો રાજ્યસભાની વાત કરીએ તો હાલમાં ત્યાં સભ્યોની સંખ્યા 236 છે. જેમાં ભાજપના 98 સાંસદો છે. એનડીએ ગઠબંધન પાસે કુલ 115 સાંસદો છે. આ સિવાય 6 નોમિનેટેડ સાંસદો છે જે લગભગ સરકારની સાથે છે. આવી સ્થિતિમાં NDA અહીં 121 નંબર પર છે. બિલ પાસ કરવા માટે 119 ની સંખ્યા જરૂરી છે.

બધાની નજર જેડીયુ અને ટીડીપી પર છે
વકફ સુધારા બિલને લઈને તમામની નજર મોદી સરકારના સૌથી મજબૂત સહયોગી JDU અને TDP પર રહેશે. બંને પક્ષોએ હજુ સુધી પોતપોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

આરજેડીએ સવાલો ઉઠાવ્યા
વકફ સુધારા બિલ પર, આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, “તેઓ (ભાજપ) આ બિલ રજૂ કરવા માટે તૈયાર છે, તેઓ આ કરી શકે છે… આ દેશમાં, સંપત્તિનું કેન્દ્રીકરણ 5% લોકોના હાથમાં છે. બંધારણની કલમ 38(2) અને 39(C) કહે છે કે તેને નાબૂદ કરો, તો તમે આ બિલ ક્યારે લાવો છો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *