બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકતા 75 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત

Violence in Bangladesh

Violence in Bangladesh : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સત્તાધારી અવામી લીગના સમર્થકો અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ વચ્ચે રવિવારે લોહિયાળ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થયું. . થોડી જ વારમાં હંગામો એટલો વધી ગયો કે રોષે ભરાયેલા લોકોએ રોડ પર વાહનોને આગ ચાંપી દીધી. સરકારે ફરી એકવાર દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી છે. બીજી તરફ ભારતે પણ બાંગ્લાદેશમાં રહેતા પોતાના નાગરિકોને એલર્ટ રહેવા કહ્યું છે. એડવાઈઝરીની સાથે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

Violence in Bangladesh : મહિનાઓથી હિંસાની આગમાં સળગી રહેલું બાંગ્લાદેશ હજુ પણ સ્વસ્થ થઈ શક્યું નથી. રવિવારે પ્રદર્શનકારીઓની અવામી લીગ સમર્થકો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓ પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે રસ્તાઓ પર હતા, ત્યારે અવામી દળના સમર્થકો ત્યાં પહોંચ્યા અને બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ. મૃત્યુઆંક ઓછામાં ઓછો 75 પર પહોંચી ગયો છે. જોકે, રિપોર્ટમાં મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પ્રથમ આલો અખબારે તેના સમાચારમાં કહ્યું, “બાંગ્લાદેશના 13 જિલ્લામાં અથડામણ થઈ છે.બાંગ્લાદેશમાં ભારતના સહાયક ઉચ્ચાયોગે એક પોસ્ટમાં કહ્યું કે કૃપા કરીને +88-01313076402 પર સંપર્ક કરો.

આ પણ વાંચો- ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડેમાં ટાઇ, અસલંકાએ બે બોલમાં બે વિકેટ લેતા બાજી પલટાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *