શ્રીલંકાએ બીજી વન-ડેમાં ભારતને 42 રને હરાવ્યું

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે 3 મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ કોલંબોના આર. તે પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાઇ હતી, જે શ્રીલંકાએ 32 રને જીતી લીધી હતી.  જ્યારે પ્રથમ મેચ ટાઈ રહી હતી. આવી સ્થિતિમાં યજમાન ટીમ શ્રીલંકાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી અને છેલ્લી વનડે 7 ઓગસ્ટે રમાશે. બીજી વનડે મેચમાં શ્રીલંકાએ 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 44 બોલમાં સૌથી વધુ 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અક્ષર પટેલે 44 રન અને શુભમન ગીલે 35 રન બનાવ્યા હતા.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 240 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે અવિષ્કા ફર્નાન્ડો અને કામિન્દુ મેન્ડિસે સૌથી વધુ 40-40 રન બનાવ્યા, અવિષ્કાએ 62 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા. જ્યારે કામિન્દુએ 44 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. દુનિત વેલાલ્ગેએ 39 રન (35 બોલ, 1 ફોર, બે સિક્સર) અને કુસલ મેન્ડિસે 30 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને પણ એક-એક વિકેટ મળી હતી. શ્રીલંકાના બે બેટ્સમેન રન આઉટ થયા હતા. 

આ પણ વાંચો- બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકતા 75 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *