Ahmedabad-Gandhinagar Metro Train : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાનો વિસ્તાર થતો જઈ રહ્યો છે. તાજેતરમાં ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવા માટેના ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જેનાથી ટૂંક સમયમાં મેટ્રો સેવાનો પ્રારંભ થવાનો છે.
સચિવાલય સુધી મેટ્રો ટ્રેન: મુસાફરો માટે રાહત
અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધીની મેટ્રો સેવાના પ્રારંભ સાથે દૈનિક મુસાફરો માટે મોટી સહુલત મળશે. ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને સમયસર ગંતવ્યે પહોંચવા માટે મેટ્રો ટ્રેન અસરકારક સાબિત થશે.
આગળ શું?
ગુજરાત સરકારના મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર સચિવાલય સુધીના વિસ્તરણમાં 8 મુખ્ય સ્ટેશનો આવરી લેવાયા છે. જેમાં જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંધેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેકટર-1 સ્ટેશનોનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ માર્ગે મેટ્રો સેવા આરંભ થશે, જે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મુસાફરીને વધુ સુગમ અને ઝડપી બનાવશે.