Bhupendra Patel farmer scheme: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતમાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે નર્મદા કમાન્ડ વિસ્તારના આશરે 13 લાખ ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી 30 દિવસ વહેલું, એટલે કે આગામી 15 મે, 2025થી આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને કપાસ અને અન્ય ખરીફ પાકોનું વહેલું વાવેતર શક્ય બનશે, જેને પગલે ખેડૂતોને વધુ ઉત્પાદન અને વધુ આવક મળી શકે છે.
સામાન્ય રીતે સરદાર સરોવર યોજના હેઠળ પિયત માટે પાણી 15 જૂનથી છોડવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રી એ આ વર્ષે 15 મેથી પાણી છોડવાનું નિર્ધારણ કર્યું છે, જેથી ખેડૂતો પાક માટે યોગ્ય સમય પર સિંચાઈ મેળવી શકે.
રાજ્ય સરકારે ખેતીને આગળ ધપાવવાના હેતુથી આ નિર્ણય લીધો છે. આગોતરી વાવણીથી પાક વહેલો તૈયાર થશે, જેના કારણે બજારમાં વધુ માંગ અને ઉત્તમ ભાવ મળવાની શક્યતા રહે છે. આ સિસ્ટમના અમલથી ખેડૂતો પોતાની આવકમાં પણ વધારો કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એ સાબિત કરે છે કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે ઊભી છે અને તેમનાં હિતોને પ્રાથમિકતા આપે છે.