Rahul Gandhi Speech Ahmedabad : અમે 50% અનામતની દિવાલ તોડીશું – રાહુલ ગાંધીનો ગુજરાતમાંથી મોટો સંદેશ

Rahul Gandhi Speech Ahmedabad: અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધી પછાત વર્ગ, અનામત અને જાતિગત ગણતરી મુદ્દે ખુલ્લા અને તીખા શબ્દોમાં સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા દિગ્ગજોને લીધે કોંગ્રેસ મજબૂત થઈ છે અને હવે કોંગ્રેસ ફરીથી પછાત વર્ગના હિત માટે સંઘર્ષ કરશે.

તેલંગાણામાં જે જાતિગત જનગણના શરૂ કરવામાં આવી છે તે વિષે બોલતાં તેમણે કહ્યું, “અમારે ખબર પાડવી છે કે દેશના કોઇ વર્ગ પાસે કેટલી સત્તા છે. હું સંસદમાં પણ પીએમ મોદીને કહ્યું છે કે જાતિગત ગણતરી જરૂરી છે.”

આ દરમિયાન રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ નીતિ પર પણ તીવ્ર આલોચના કરતા નજરે પડ્યા. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ દરેક વિદેશ પ્રવાસમાં દેશનું માથું ઝુકાવ્યું છે. “ટ્રમ્પે ટેરિફ લગાવવાની ધમકી આપી અને મોદીજી તેની સામે ન તો બોલ્યા ન તો વાંધો ઉઠાવ્યો,” એમ તેમણે કહ્યું.

વકફ કાયદા અંગે પણ તેઓએ જણાવ્યું કે, “આ કાયદો દેશના ધાર્મિક હક્કો અને બંધારણ પર સીધો હુમલો છે.” તેમણે એ પણ દાવો કર્યો કે RSSના વિચારો યુનિવર્સિટીઓમાં ઘુસી ગયા છે, જે બંધારણની ભાવનાથી વિરુદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *