રાજકોટમાં નવરાત્રી સુરક્ષાનો મુદ્દો ગરમાયો: ગરબા આયોજનોમાં ID વેરિફિકેશન ફરજિયાત કરવા પોલીસ કમિશનરને રજૂઆત
નવરાત્રી પૂર્વે રાજકોટમાં સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે, જ્યાં ગરબા સ્થળોએ આઈડી વેરિફિકેશન ફરજિયાત કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં ગરબા આયોજનો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને હિન્દુ સ્વરાજ સેના દ્વારા પોલીસ કમિશનરને આ રજૂઆત કરવામાં આવી હતી. સંગઠન દ્વારા બહેનો અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ લવ જેહાદ સહિતની પ્રવૃત્તિઓ…

