‘ધાર્મિક અધિકારોમાં કોઈ દખલ નહીં’ કેન્દ્ર સરકારે વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

  કેન્દ્ર સરકારે વકફ કાયદા  – કેન્દ્ર સરકારે વકફ એમેન્ડમેન્ટ એક્ટ પર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટને આપેલા તેના જવાબમાં, સરકારે કાયદાનો બચાવ કર્યો છે, એટલે કે તેને ન્યાયી ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી, વપરાશકર્તા દ્વારા વકફ માત્ર નોંધણીના આધારે માન્ય છે અને મૌખિક રીતે નહીં.કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું કે વક્ફ…

Read More

અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, 1500 લોકોની કરાઇ અટકાયત, પૂછતાછ ચાલુ

કાશ્મીરમાં મોટી કાર્યવાહી – પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાશ્મીર ઘાટીમાં પૂછપરછ માટે 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોને અલગ-અલગ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા…

Read More
સિંધુ જળ સંધિનો અંત

વિઝા રદ, દૂતાવાસો બંધ, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનો અંત… પહેલગામ બાદ ભારત સરકારના પાંચ મોટા નિર્ણયો

સિંધુ જળ સંધિનો અંત – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાનના આવાસ પર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને અન્યોએ હાજરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં વિદેશ…

Read More

સૈયદ હુસૈને એકલા હાથે આતંકવાદીઓ સામે બાથભીડી દીધી,પ્રવાસીઓને બચાવવા માટે શહાદત વહોરી

સૈયદ હુસૈન – ‘ધરતી પરનું સ્વર્ગ’ કાશ્મીર ફરી એકવાર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યથી ‘લાલ’ થઈ ગયું છે. 22 એપ્રિલ મંગળવારના રોજ પહેલગામમાં થયેલા હુમલાને કારણે દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં, 26 લોકો માર્યા ગયા જેઓ તેમના પરિવાર સાથે તેમના જીવનની કેટલીક સુંદર ક્ષણો પસાર કરવા માટે ઘાટીમાં ગયા હતા. આ 26 લોકોમાં એક વ્યક્તિ…

Read More

મુસલમાન પોતાને નબળા અનુભવી રહ્યા છે,PM મોદીને સંદેશ,પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન

પહેલગામ પર વાડ્રાનું મોટું નિવેદન –  કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે….

Read More

ભારત પાકિસ્તાન સાથે વેપાર અને વિઝા પર લગાવી શકે છે પ્રતિબંધ!

ભારત પાકિસ્તાન પર લગાવશે પ્રતિબંધ – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતોઆ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. ભારત સરકાર પાકિસ્તાન સામે કડક…

Read More

ભારત પહેલગામનો બદલો લેવાની તૈયારીમાં! સંરક્ષણ મંત્રી,ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચાર્જ સંભાળી લીધો છે અને તેઓ સાઉદીનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ તે સ્થળે પહોંચ્યા જ્યાં આતંકવાદીઓએ તેમની ગોળીઓથી નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. એક તરફ, સૈનિકો…

Read More
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલાનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો,ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનના કનેકશનનો ખુલાસો!

પહેલગામ હુમલાની ઇન્ટેલિજન્સ રિપોર્ટ –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે થયેલા આ ઘાતકી હત્યાકાંડમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદી સહિત તમામ મુખ્ય સ્તરે બેઠકોની શ્રેણી ચાલી રહી છે. અહીં આ સમગ્ર ઘટના અંગે ગુપ્ત માહિતી…

Read More