પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું હતું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ માટે વિનાશક હશે!

Manmohan Singh statement-   ભારતના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. ગુરુવારે સાંજે તબિયત બગડતાં મનમોહન સિંહને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહનું અવસાન સમગ્ર દેશ માટે એક મોટી ખોટ હતી, અને આ પ્રસંગે ઘણા રાજકીય નેતાઓ અને સમર્થકો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો.

Manmohan Singh statement – હાલમાં, દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમણે 2014થી 2024 સુધી ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કર્યું, મનમોહન સિંહ સાથે રાજકીય દૃષ્ટિએ ઘણીવાર અથડામણમાં રહ્યા છે. આ બંને નેતાઓએ એકબીજાની રાજકીય વિચારધારા અને નીતિ પર અનેકવાર ઉગ્ર આલોચનાઓ પણ કરી છે.

મનમોહન સિંહે પીએમ મોદી પર નિશાન સાધ્યું
લોકસભા ચૂંટણી 2014 પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં મનમોહન સિંહે કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની યોગ્યતાઓની ચર્ચા કર્યા વિના, હું પ્રામાણિકપણે માનું છું કે તેમને વડાપ્રધાન તરીકે જોવું દેશ માટે વિનાશક હશે.”

જ્યારે આ ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મનમોહન સિંહે કહ્યું, “મેં કહ્યું હતું કે મોદી વડા પ્રધાન તરીકે એક આપદા હશે. હવે હું કબૂલ કરું છું કે મેં એક કઠોર શબ્દનો ઉપયોગ કર્યો જે મારે ન વાપરવો જોઈએ. હું આનું પુનરાવર્તન કરવા માંગતો નથી પરંતુ તે સમય દૂર નથી જ્યારે સામાન્ય જનતાને મોદીજી દ્વારા લાગુ કરવામાં આવેલી જાહેર નીતિની અસરકારકતા કે નિષ્ફળતા અંગે નિર્ણય લેવાની તક મળશે.

આ પહેલા 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરતી વખતે નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું હતું. ઓક્ટોબર 2012માં એક રેલીમાં, જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને ‘મૌન’ મોહન સિંહ કહ્યા હતા.

બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહને કોંગ્રેસમાં નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે, “જો તમે કોંગ્રેસના 100 કાર્યકરોને પૂછો કે તેમનો નેતા કોણ છે, તો કોઈ મનમોહન સિંહનું નામ લેશે નહીં પછી ભલે તે વડાપ્રધાન હોય. આવા વડાપ્રધાન દેશનું નેતૃત્વ કેવી રીતે કરી શકે?

 

આ પણ વાંચો –  ડૉ.મનમોહન સિંહના આર્થિક સુધારાને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, દેશને કફોડી હાલતમાંથી બહાર લાવનાર નાણામંત્રી હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *