Palak Mata Pita Yojana: ગુજરાત સરકારની ખાસ યોજના: પાયલ જેવી દીકરીઓ માટે બની આશીર્વાદ, જાણો કોણ મેળવી શકે લાભ

Palak Mata Pita Yojana

Palak Mata Pita Yojana: ગુજરાત સરકાર દ્વારા અનાથ, નિરાધાર અને ત્યજી દેવાયેલા બાળકોના ભવિષ્ય માટે એક ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેને ફોસ્ટર પેરેન્ટ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના તે બાળકો માટે જીવનમાં નવી આશા બની રહી છે, જેઓ માતા-પિતાના પ્રેમ અને સહારાથી વંચિત છે. મહેસાણા જિલ્લાના નુગર ગામની પાયલ માટે આ યોજના જીવતરક્ષક બની છે.

પાયલ માટે આશરો બની યોજના
નુગર ગામની પાયલએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા. અનાથ બની ગયેલી પાયલ અને તેના ભાઈ-બહેનો માટે પાલક માતા-પિતા યોજના મોટા સહારે રૂપે સામે આવી.

આ યોજના અંતર્ગત, અનાથ બાળકો માટે માસિક રૂ. 3,000ની સહાય આપવામાં આવે છે, જે સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. સાથે જ, લગ્ન સમયે દીકરીઓને રૂ. 2 લાખની વિશેષ સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં અરજી કરવી જરૂરી છે.

યોજનાનો પ્રભાવ મહેસાણા જિલ્લામાં
મહેસાણા જિલ્લામાં 825થી વધુ બાળકો દર મહિને રૂ. 3,000ની સહાય મેળવે છે, જ્યારે 652 દીકરીઓએ લગ્ન માટે રૂ. 2 લાખની સહાય મેળવી છે. આ યોજના અનાથ બાળકો માટે સ્વાભિમાન, શિક્ષણ અને સશક્તિકરણ તરફનો એક મજબૂત પગથિયો બની રહી છે.

કોણ થાય પાત્ર?
પાલક માતા-પિતા યોજના હેઠળ તે બાળકોને લાભ મળે છે:
જેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું હોય
પિતાનું અવસાન અને માતાએ પુનઃલગ્ન કરેલો હોય
પિતા અને માતા બંને જીવિત હોય, પરંતુ બાળક ત્યજી દેવાયેલું હોય

 જો પિતા મૃત્યુ પામ્યા હોય અને માતા જીવિત હોય (અને પુનઃલગ્ન ન કર્યો હોય), તો આ સહાય મળતી નથી.
માતા જીવિત હોય અને પિતા મૃત્યુ પામ્યા હોય, પરંતુ માતાએ પુનઃલગ્ન ન કર્યો હોય, તો સહાય મળતી નથી.

આ યોજના દ્વારા, ગુજરાત સરકાર નિરાધાર બાળકોને ભવિષ્ય માટે મજબૂત આધાર પૂરો પાડી રહી છે, જેથી તેઓ સારી શિક્ષણ સાથે સ્વાવલંબન મેળવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *