પાકિસ્તાનમાં ક્રૂરતાની હદ પાર: ગુરુદ્વારામાં ઘૂસીને વયસ્ક શીખ દંપતીની ગોળી મારી હત્યા
Pakistan Gurdwara Shooting Case પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને શીખ અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને અસુરક્ષાનો વધુ એક અત્યંત લોહિયાળ અને કરુણ કિસ્સો સામે આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતના મરદાન જિલ્લામાં આવેલા એક ગુરુદ્વારાની અંદર ઘૂસીને અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને એક વયસ્ક શીખ દંપતીની નિર્મમ હત્યા…

