ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં અનેક મહત્વના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આજે, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાની યોજના વિશે પ્રશ્ન પૂછ્યા હતા. આ પ્રશ્નનો જવાબ પ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે સુરતમાં તેલુગુ માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓ સંખ્યા શૂન્ય હોવાથી બંધ કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરમાં પણ શાળામાં વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થતાં બંધ કરાઈ હતી.