ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયેલ   ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારી કરી રહ્યું છે અને તેહરાનનો આગામી હુમલો અગાઉના બે હુમલા કરતા વધુ ઘાતક હશે. ફરી એકવાર ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે એવું માનવામાં આવે છે કે ઈરાન આગામી 24 કલાક અથવા થોડા દિવસોમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે.

 

 

 

 

યહૂદી શાસન ભયાવહ છે – જનરલ બકેરી
જનરલ બકેરીએ તેમના નિવેદનમાં કહ્યું કે યહૂદી શાસન આ દિવસોમાં ગાઝા અને દક્ષિણ લેબનોન બંનેમાં સંપૂર્ણપણે ભયાવહ છે. જનરલે ભારપૂર્વક જણાવ્યું હતું કે લેબનોન અને ગાઝા પટ્ટીમાં નાગરિકો સામેના ગુનાઓ હોવા છતાં ઇઝરાયેલ તેના યુદ્ધ લક્ષ્યોને હાંસલ કરવામાં સક્ષમ નથી.

‘તેલ અવીવ અને હૈફા પણ સુરક્ષિત નથી’
બકરીએ અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા ઈઝરાયેલને આપવામાં આવતા વ્યાપક સમર્થનની પણ નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રીય સુરક્ષામાં ખલેલ પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે લેબનોનમાં સંઘર્ષ શરૂ કરવા પાછળ ઈઝરાયેલનો ઉદ્દેશ્ય ઉત્તર કબજા હેઠળના વિસ્તારોમાં સુરક્ષા સ્થાપિત કરવાનો હતો, પરંતુ હવે નેતન્યાહૂ સરકાર હાઈફા અને તેલ અવીવના મોટા શહેરોમાં વ્યાપક અસુરક્ષાનો સામનો કરી રહી છે.

ઈરાનતરફથી આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ઈઝરાયેલના હુમલાને બરાબર એક મહિનો વીતી ગયો છે. કેટલાક ઈરાન સમર્થિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી પણ હુમલાની શક્યતા વ્યક્ત કરતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.હવે જોવાનું એ રહે છે કે એવા સમયે જ્યારે હિઝબુલ્લાહ અને ઈઝરાયેલવચ્ચેના યુદ્ધવિરામ કરારને લઈને લગભગ બધું જ નક્કી થઈ ગયું છે, શું ઈરાન ખરેખર ઈઝરાયેલ સામે બદલો લેશે કે પછી આ ધમકીઓ દ્વારા ઈઝરાયેલપર માનસિક દબાણ ઉભું કરવાનો છે.

આ પણ વાંચો –   પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો મેદાનમાં, 3 રેન્જર્સ સૈનિકોના મોત, હાલત બેકાબૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *