ભક્તોની જીત: ડાકોર મંદિરમાં મનોરથ અને ધ્વજારોહણના દરમાં કરાયેલો વધારો મોકૂફ, વિરોધ બાદ ટ્રસ્ટે લીધો નિર્ણય
RanchhodraijiTemple : યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિવિધ મનોરથો અને ધ્વજારોહણના દરોમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં ભક્તોની જીત થઈ છે. સ્થાનિક સેવકો, ભક્તો અને વેપારીઓના ભારે વિરોધ બાદ મંદિર કમિટીએ આ ભાવવધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. RanchhodraijiTemple ધ્વજારોહણના દરમાં ૪ ગણો વધારો કરાયો…

