ડાકોરના શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ પૂરજોશમાં
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે શુક્રવારે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી અને શનિવારે પારણાના ઠાકોરજીના દર્શનના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના આ પર્વને લઈને સમગ્ર ડાકોર નગરીને રોશનીથી શણગારવામાં આવી છે તેમજ મંદિર પરિસરમાં પણ ભવ્ય વિશેષ શણગાર…

