Train Accident : હળવદમાં દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે, જ્યાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા અને માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટનાને પગલે પોલીસ અને રેલવે તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
રેલવે ટ્રેક ક્રોસ કરવાના પ્રયાસ દરમિયાન દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, મોરબીના હળવદ નજીક રણજિતગઢ અને કેદારીયા વચ્ચે એક મહિલા ત્રણ બાળકો સાથે રેલવે લાઇન ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન ટ્રેનની અડફેટે બે બાળકોનું મોત નીપજ્યું.
બાળકોના જીવ ગયા
આ દુખદ ઘટનામાં ગોપીબેન બજાણીયા (ઉમર 5 વર્ષ) અને નિકુલ બજાણીયા (ઉમર 3 વર્ષ)નું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે માતા મંગુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દોઢ વર્ષના બાળકનો આ દુર્ઘટનામાં જીવ બચી ગયો.
માથાકૂટ મચાવતી ઘટના
માતા મંગુબેનને તરત જ મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે, અને રેલવે તંત્રની બેદરકારી પર પણ પ્રશ્નો ઊભા થયા છે.