અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વર્ષ 2025-26 માટેનો બજેટ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમાં શહેરના સર્વાંગીણ વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 15502 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રમતગમત, પર્યાવરણ, સ્વચ્છતા, અને ઈનોવેટિવ ડિજિટલ પ્રોજેક્ટ્સ જેવા ક્ષેત્રો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.
- એડવાન્સ ટેક્સ માટે વધારાની રાહત: એડવાન્સ ટેક્સ પેટે 12% છૂટ અને તે પણ વધુ રાહત 3 વર્ષ માટે પ્રદાને મળવી છે.
- રમતગમત અને ઓલિમ્પિક 2036: શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષસને ડેવલપ કરવાની યોજના અને 2036 ના ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ.
- વિકાસ માટે ફંડ: 8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે ખર્ચવામાં આવશે, જેમાં તળાવોની યોજના, આરોગ્ય, અને ટ્રાફિક મુક્ત શહેર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
- સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ: યુવાનો માટે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન, જેના દ્વારા તેમને પોતાના કૌશલ્ય પ્રદર્શિત કરવાનો મોકો મળશે.
- ઈકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ: પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણમૈત્રીક ક્ષેત્રમાં નવીન પ્રોજેક્ટ્સ માટે ફંડ.
ખારીકટ કેનાલનું નવીનીકરણ
અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ – સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું હતું. ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે. તેમજ અંગદનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી .શાસક પક્ષે સુધારા સાથે 1501 કરોડનો વધારો કર્યો હતો. જેમાં કમિશનરનું ડ્રાફ્ટ બજેટ 14001 કરોડનું હતું, જેમાં 1501 કરોડના સુધારા કરવામાં આવ્યા હતા. ગ્રીન અમદાવાદ અને સ્મલ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું. મનપા બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલનાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ આપવામાં આવશે.
બાપુનગરમાં નમો વન વિકસાવવામાં આવશે
ઘોડાસર, ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે. ટીપી રોડ પરનાં દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. બાપુનગર ખાતે 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે. તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને 1 કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારા નાં 1 કરોડ ચૂકવવામાં આવશે. મનપા કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો કરાયો છે.
આ પણ વાંચો- રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં જઇ શકે છે પવિત્ર સ્નાન કરવા!