રાજસ્થાન મંદિરમાં ‘શુદ્ધિકરણ’ને લઈને ભાજપ નેતા મુશ્કેલીમાં ફસાયા, નોટિસ જારી

રાજસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બીજેપી નેતા જ્ઞાનદેવ આહુજા મંદિરની શુદ્ધિ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સામે આવતાની સાથે જ નેતાની ચારે બાજુથી ટીકા થવા લાગી. વાસ્તવમાં, આ પહેલા દલિત નેતા ટીકારામ જૂલી મંદિર ગયા હતા, ત્યારબાદ આહુજાએ શુદ્ધિકરણ કર્યું હતું. તેના પર બીજેપી નેતાએ તેને યોગ્ય ઠેરવતા કહ્યું…

Read More

અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન,‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’

આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે….

Read More

આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થયો પ્રારંભ!

આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થવા માટે હાજર રહી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ…

Read More

સરકારે પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો કર્યો વધારો,ભાવ વધશે!

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. કેન્દ્ર સરકારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારા અંગે માહિતી આપી હતી. આ એક્સાઈઝ ડ્યુટી સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી શકે છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ…

Read More

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, કંડલા 45 ડિગ્રીથી શેકાયું

ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી સખત ગરમી અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ગરમી પડવાની આગાહી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અનેકચ્છમાં તો એવું લાગતું છે કે સમગ્ર વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ગરમી અસહ્ય બની ગઈ છે. હવામાન વિભાગે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું…

Read More

સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત આ દેશોના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ તાજેતરમાં ભારત સહિત 13 દેશોના નાગરિકોને વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણયનું કારણ સુરક્ષા કારણો અને આંતરિક વ્યવસ્થા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, આ અસ્થાયી પ્રતિબંધ મુખ્યત્વે ઉમરાહ વિઝા અને મુસાફરી વિઝાની કેટલીક વિશેષ શ્રેણીઓ પર લાગુ કરવામાં આવ્યો છે. ભારત સહિત 13 દેશોના વિઝા પર પ્રતિબંધ સાઉદી…

Read More

હાડગુડ ગામે સૂફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે)નો ભવ્ય ઉર્સ ઉજવાયો

આણંદ નજીક હાડગુડ ગામ ખાતે સુફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે.)ના કોમી એકતાના પ્રતિક રૂપે ઉર્સ મુબારકનો પ્રસંગ ધામધૂમ અને ઉત્સાહભર્યો રીતે ઉજવવામાં આવ્યો. સંદલ મુબારકની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં અકિદતમંદો ઝુલુસમાં જોડાયા અને મજાર પર આવીને વિશ્વ શાંતી અને દેશની પ્રગતિ માટે દુઆઓ કરી.સંદલ મુબારકની ઉજવણી બાદ શુક્રવારે શાનદાર સૂફી કલામ કવ્વાલીનો પ્રોગ્રામ યોજાઈ ગયો.આ…

Read More

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ…

Read More

વકફ સુધારા વિધેયક પર સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6 અરજીઓ દાખલ

વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે વહેલી તકે સુનાવણી કરવા માંગ કરવામાં આવી છે. વકફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા કોર્ટ સંમત થઈ છે.વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મહત્વપૂર્ણ…

Read More