Amarnath Yatra 2026 : શિવભક્તો માટે એક અત્યંત આનંદના અને ભક્તિભાવથી ભરેલા સમાચાર સામે આવ્યા છે. આગામી 3 જુલાઈથી શરૂ થનારી પવિત્ર અમરનાથ યાત્રા [Amarnath Yatra] માટે જમ્મુ-કાશ્મીરમાં [Jammu Kashmir] તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીનું [Baba Barfani] આશરે 6 થી 7 ફૂટની ઊંચાઈ ધરાવતું સંપૂર્ણ અને દિવ્ય શિવલિંગ [Divya Shivling] તૈયાર થઈ ગયું છે. શનિવારે સવારે ભારતીય સૈન્યના જવાનોએ [Indian Army] આ પવિત્ર શિવલિંગના પ્રથમ દર્શન કર્યા હતા, જેની અદભુત તસવીર સામે આવતા જ દેશભરના લાખો શિવભક્તોમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.
2026 अमरनाथ यात्रा से पहले बाबा बर्फानी के प्रथम दिव्य दर्शन ने हर शिवभक्त का हृदय श्रद्धा से भर दिया।
पवित्र गुफा से आई ये अद्भुत झलक आस्था, भक्ति और महादेव की कृपा का एहसास करा रही है। हर-हर महादेव! #amarnathyatra2026 #shivling#harharmahadev pic.twitter.com/vHWgare8l8— Enewsjammu (@enewsjammu) May 23, 2026
Amarnath Yatra 2026 : 3 જુલાઈથી યાત્રાનો પ્રારંભ અને શ્રદ્ધાળુઓનો ધસારો
અમરનાથ શ્રાઈન બોર્ડના [Amarnath Shrine Board] સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી એટલે કે 2 મહિના સુધી ચાલશે. 15 એપ્રિલથી જ યાત્રા માટેના રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3.6 લાખથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન [Online Registration] કરાવી લીધું છે. શ્રદ્ધાળુઓ દેશભરની 554 બેંક શાખાઓ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઈન માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. પ્રશાસન દ્વારા યાત્રિકો માટે મેડિકલ સર્ટિફિકેટ [Medical Certificate] હોવું અત્યંત અનિવાર્ય કરવામાં આવ્યું છે.
Amarnath Yatra 2026 સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત અને રૂટ ક્લિયરન્સ
યાત્રા મુખ્યત્વે બાલતાલ-સોનમર્ગ [Baltal Route] અને પહલગામ-નુનવાન [Pahalgam Route] એમ બે માર્ગો પરથી પસાર થશે. હાલમાં યાત્રાના મુખ્ય માર્ગો પર 10 થી 12 ફૂટ જેટલો બરફ જમા છે, જેને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર સરકાર અને સુરક્ષા દળો દ્વારા યાત્રિકોની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. યાત્રા શરૂ થતા પહેલા સૈન્ય અને પોલીસ દ્વારા સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ જ શ્રદ્ધાળુઓ માટે રસ્તો ખોલવામાં આવશે.
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને મળશે આર્થિક લાભ, જાણો કારકિર્દી અને સ્વાસ્થ્ય માટે શું કહે છે તમારા સિતારા

