હિઝબુલ્લાહ ના ટોચના કમાન્ડરો માર્યા ગયા, ઇઝરાયલે અત્યાર સુધીમાં કોને માર્યા! જાણો

હિઝબુલ્લાહ

ઈઝરાયેલની સેનાએ શુક્રવારે હવાઈ હુમલા કર્યા હતા જેમાં હિઝબુલ્લાહ ના ઘણા મુખ્ય કમાન્ડર માર્યા ગયા હતા. આ હુમલામાં સંગઠન પ્રમુખ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે. ઈઝરાયેલના આ ઓપરેશનનો હેતુ હિઝબુલ્લાહ ની સૈન્ય તાકાતને નબળી પાડવાનો હતો અને તે પોતાના હેતુમાં સંપૂર્ણ રીતે સફળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું IDF દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીરમાં હિઝબુલ્લાના તમામ કમાન્ડ દેખાઈ રહ્યા છે, જેમને ઈઝરાયેલી સેનાએ માર્યા હોવાનો દાવો છે. આ તસવીરોમાં હસન નસરાલ્લા ટોપ પર જોવા મળે છે. નસરાલ્લાહ ત્રણ દાયકાથી વધુ સમયથી હિઝબુલ્લાહના નેતા હતા. તેમના નેતૃત્વ હેઠળ, હિઝબુલ્લા એક શક્તિશાળી લશ્કરી અને રાજકીય બળ તરીકે ઉભરી આવી.

આઈડીએફના જણાવ્યા અનુસાર, હિઝબોલ્લાહના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર પરના હુમલામાં નસરાલ્લાહ માર્યો ગયો હતો, જે રહેણાંક મકાનની નીચે સ્થિત હતું. નસરાલ્લાહના મૃત્યુ પછી, હિઝબુલ્લાહની કમર તૂટી ગઈ છે. હસન નસરાલ્લાહ ઉપરાંત, IDF દ્વારા જાહેર કરાયેલા ફોટોગ્રાફ્સમાં ઉલ્લેખિત કમાન્ડરોમાં અલી કાર્કી, મોહમ્મદ અલી ઈસ્માઈલ, ઈબ્રાહિમ મોહમ્મદ કુબૈસી જેવા ચહેરાઓનો સમાવેશ થાય છે.ઈઝરાયેલની સેનાએ શુક્રવારે હવાઈ હુમલા કર્યા હતા જેમાં હિઝબુલ્લાહ ના ઘણા મુખ્ય કમાન્ડર માર્યા ગયા હતા. આ હુમલામાં સંગઠન પ્રમુખ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે. ઈઝરાયેલના આ ઓપરેશનનો હેતુ હિઝબુલ્લાહ ની સૈન્ય તાકાતને નબળી પાડવાનો હતો અને તે પોતાના હેતુમાં સંપૂર્ણ રીતે સફળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

આ પણ વાંચો –  નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ મામલે FIR નોંધવાનો આદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *