મહેમદાવાદ દારૂનો એપી સેન્ટર? ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂની રેલમછેલ!

 Mehmadabad Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ તંત્રની પોલ ખોલતો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગોઝારી ઘટના બાદ હવે મહેમદાવાદ પ્રત્યે આંગળી ચીંધાઈ રહી છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહેમદાવાદ આજે ગેરકાયદેસર દારૂનું મુખ્ય ‘એપી સેન્ટર’ બની ગયું છે.સુત્રોના  જણાવ્યા અનુસાર અહીંના બોરીરોજી સહિતના વિસ્તારોમાં…

Read More

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: ગુજરાતના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નારાથી ગૂંજ્યા

Shravan Maas 2026 શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ, ૨૦૨૬) થી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર દિવસની શરૂઆતની સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર જયઘોષથી…

Read More

અમદાવાદ એસજી હાઈવે: નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન પર લટકીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદના એસ.જી. હાઈવે [S G Highway] પરથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગના ૩૨મા માળે ક્રેન પર લટકીને એક યુવકે આપઘાત [Suicide] કરી લીધાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ પ્રીતમસિંહ (ઉ.વ.૨૨) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો…

Read More
Vande Bharat Train Heart Transport

વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ પહોંચાડાયું ‘લાઈવ હાર્ટ’, માત્ર ગણતરીની મિનિટોમાં બચ્યો જીવ!

 Vande Bharat Train Heart Transport ભારતીય રેલવેએ આજે તબીબી જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ અને સુરત વચ્ચે દોડતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનો ઉપયોગ કરીને એક ‘લાઈવ હાર્ટ’ (જીવંત હૃદય) ને સુરતથી અમદાવાદ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે. આ અસાધારણ પ્રયાસથી એક જટિલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મોટી મદદ મળી છે અને દર્દીનો જીવ બચાવવાની આશા…

Read More

અમદાવાદમાં મેઘ તાંડવ: 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક અંડરબ્રિજ કરાયા બંધ

Ahmedabad Heavy Rain Flood અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ભારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારના 9 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધીના માત્ર 12 કલાકના ગાળામાં શહેરમાં સરેરાશ 11 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાયો છે. આટલા ટૂંકા ગાળામાં પડેલા મુસળધાર વરસાદને કારણે સમગ્ર અમદાવાદ શહેર જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના…

Read More

અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 8 લોકોના મોત

Vastrall Fire Accident અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગતરાડ રોડ પર આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ વ્યક્તિઓના કમનસીબ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે….

Read More

અમદાવાદમાં 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું નગર

Ahmedabad Rath Yatra 2026 : અમદાવાદની ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણ ભક્તિભાવ અને પરંપરાગત ઉલ્લાસ સાથે શરૂ થઇ. અષાઢી બીજના પાવન પર્વે સવારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી અને ગજરાજની આગેવાનીમાં પ્રભુના રથનું પ્રસ્થાન થયું ત્યારે આખું શહેર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું.આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપવામાં…

Read More
CAR T-cell Therapy

અમદાવાદમાં કેન્સરની સારવારમાં ક્રાંતિ: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ સંપન્ન

CAR T-cell Therapy અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું, ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરે પહોંચીને ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. Ahmedabad Rath Yatra 2026 સુરક્ષા અને વ્યવસ્થા પર…

Read More

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 30 હજાર પોલીસ અને 65 ડ્રોનથી રહેશે બાજ નજર

Ahmedabad Rath Yatra Security અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની આ ભવ્ય યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં અત્યાર સુધીનું સૌથી મોટું સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. Ahmedabad Rath Yatra Security :…

Read More