સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીના કેસ મામલે ગુજરાત સરકારને ખખડાવી,થોડું મગજ વાપરો!

સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવાનો ગુનો બદલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી બેન્ચે ગુજરાત…

Read More

કડીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More

શ્રદ્વાળુઓ માટે ખુશખબર! અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન

અમદાવાદના શ્રદ્વાળુઓ માટે ખુશખબર, નજીવા દરે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન ધ દૂરબીન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ  યાત્રા 11મી એપ્રિલ, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રા, શ્રદ્વાળુઓ માટે એક અનોખો અનુભવ રહેશે. યાત્રા સાંજે 8:30 વાગ્યે CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદમાંથી પ્રારંભ…

Read More

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં મળી બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સી એકશનમાં

છેલ્લા કેટલાંક સમયમાં એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી છે.આજે  જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં પણ એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:30 વાગ્યે આવી હતી, અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં, અમદાવાદ એરપોર્ટ પોલીસ, CISF, ડોગ…

Read More

કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને 3 મહિનાની સજા!

કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારી છે. આ ચૂકાદો ભુજ કોર્ટે 41 વર્ષ બાદ આપ્યો છે. 1984માં નોંધાયેલા ગુનાની સંબંધિત આ કેસમાં, ભુજ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને 3 મહિનાની સજા ફટકારી છે. આ કેસ સામાજિક કાર્યકરને માર મારવાના સંદર્ભમાં હતો, અને 41 વર્ષ બાદ આ અંગેની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષ…

Read More

નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના મોત! પોલીસ એકશનમાં

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ જણના શંકાસ્પદ મોત થયા હતા. આ ઘટનાની વિગતો મુજબ, માત્ર…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ. નોંધનીય છે કે અમવા…

Read More

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત, પાટીદાર અનામત આંદોલન કેસમાં આટલા કેસ પરત ખેંચાયા!

ગુજરાત સરકાર પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ…

Read More
Hardik Patel Sedition Case

Hardik Patel Sedition Case: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, ગુજરાત સરકારે રાજદ્રોહનો કેસ પાછો ખેંચ્યો

Hardik Patel Sedition Case: ગુજરાત ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે નોંધાયેલો રાજદ્રોહનો કેસ પાછો ખેંચી લીધો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના સાથીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આંદોલન પછી, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા. હાર્દિક પટેલ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી…

Read More

વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર કરાયું જાહેર

વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર, વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. 12 મૃતક બાળકોના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે?  વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને…

Read More