AI કેમેરા : અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી થશે.
અમદાવાદ પોલીસ નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના ખુણે ખુણે ગુનેગાર પર બાજ નજર રાખશે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ ગુનાઈક કૃત્યને રોકવા માટે કામગીરી કરવામાં આવશે. કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ પોલીસ હવે એ જોઈ શકશે કે કયા વિસ્તારમાં ગંભીર ગુના ધરાવતા ગુનેગારો ફરી રહ્યા છે. તેમજ જો કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળશે તો તુરંત આરોપીને ઝડપી લેવાશે. આ AI પ્રોજેક્ટની વિશેષતા પર નજર કરીએ તો.
આ ટેક્નોલોજીનું મહત્વ એ છે કે:
- ભીડમાં પણ વોન્ટેડ ગુનેગારોને ઓળખી શકશે.
- 1 સેકન્ડમાં 90 ફોટા ખેંચી શકે છે.
- 360 ડિગ્રી દૃશ્ય પ્રદાન કરે છે.
- બ્લર થયેલ અથવા ખોટી નંબર પ્લેટ જોઈ શકશે.
- અંધારામાં પણ ચહેરા સ્પષ્ટ જોઈ શકાશે.
- 50 ફૂટથી વધુ અંતરે પણ લોકોની ઓળખ કરી શકશે.
અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કરીને સાયબર ક્રાઈમ વિભાગ માટે વિકસાવવામાં આવી છે.’ઈનસાઈટ સોફ્ટવેર’ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ અને અન્ય ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખરેખ રાખવામાં મદદરૂપ બનશેનોંધનીય છે કે અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી થશે.
આ પણ વાંચો – ઇરાકમાં જન્મેલા 100થી વધુ જન્મેલા નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા!