S. Jaishankar Suriname Visit: ભારતના વિદેશ મંત્રી [External Affairs Minister] એસ. જયશંકરે [S. Jaishankar] દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામની [Suriname] મુલાકાત દરમિયાન વૈશ્વિક વ્યવસ્થા અંગે અત્યંત સૂચક નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, વર્તમાન સમયમાં દુનિયા નાણાં, સંસાધનો અને ટેકનોલોજીના અભૂતપૂર્વ “હથિયારીકરણ” [Weaponization] ની સાક્ષી બની રહી છે. વિવિધ દેશો પોતાના વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કરવા માટે આર્થિક પ્રભાવ અને બજાર પરની પકડનો ઉપયોગ હથિયારની જેમ કરી રહ્યા છે.
S. Jaishankar Suriname Visit: સુરીનામથી જયશંકરની ચેતવણી
પારામારીબોમાં [Paramaribo] વિવિધ સમુદાયોને સંબોધિત કરતા જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક શક્તિની પરંપરાગત ધારણાઓ બદલાઈ રહી છે. હવે કનેક્ટિવિટી [Connectivity] અને ભૂગોળનો પણ પ્રભાવ પાડવાના સાધનો તરીકે ઉપયોગ થાય છે. તેમણે અમેરિકાનું [USA] ઉદાહરણ આપી સમજાવ્યું કે કેવી રીતે એક ઉર્જા આયાતકાર દેશ આજે મોટો નિકાસકાર બની ગયો છે, જેનાથી વૈશ્વિક નીતિ અને ભૂ-રાજનીતિ [Geopolitics] પર દૂરોગામી અસરો પડી છે. તેમણે યુક્રેન સંકટ [Ukraine Crisis] અને કોવિડ જેવી પરિસ્થિતિઓએ દુનિયાને કેવી રીતે અસ્તવ્યસ્ત કરી છે તેની પણ વિગતવાર ચર્ચા કરી હતી.
Spoke on the theme ‘Partnership for Progress’ at Paramaribo this evening. Thank FM Melvin Bouva for his presence and the @MOFASur for organising the programme.
Made the case that a tough world nevertheless requires progress. And that is best achieved through partnerships.… pic.twitter.com/RtE9Am5Evk
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2026
વેક્સિન સંગ્રહખોરી પર વિકસિત દેશો પર પ્રહાર
વિદેશ મંત્રીએ ભારતની ‘વેક્સિન મૈત્રી’ [Vaccine Maitri] પહેલનો ઉલ્લેખ કરતા કોઈ પણ દેશનું નામ લીધા વિના વિકસિત રાષ્ટ્રો પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે વિકાસશીલ દેશો કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે એક વિકસિત દેશે પોતાની જરૂરિયાત કરતા આઠ ગણી વધારે વેક્સિનનો [Vaccine Hoarding] જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. આ મુશ્કેલ સમયમાં ભારતે જવાબદારી સંભાળીને દુનિયાના અનેક દેશોને વેક્સિનનો પુરવઠો પહોંચાડ્યો હતો.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની વધતી ભૂમિકા
ભારતના વધતા આર્થિક કદ વિશે વાત કરતા જયશંકરે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ [IMF] ના અંદાજો ટાંક્યા હતા. આ વર્ષે વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન અંદાજે 17 ટકા રહેશે. તેમણે ભારતને એક એવી સ્થિર શક્તિ ગણાવી જે વૈશ્વિક સપ્લાય ચેઈન [Global Supply Chain] ને “જોખમ-મુક્ત” [De-risking] બનાવવામાં મદદરૂપ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરીનામમાં વસતા ભારતીય મૂળના લોકો, જેઓ અગાઉ બંધુઆ મજૂર તરીકે ત્યાં ગયા હતા, તેઓ આજે એક શક્તિશાળી સમુદાય તરીકે સ્થાપિત થયા છે.
આ પણ વાંચો: વંદે માતરમ્ વિવાદ: અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રના નિર્ણયનો કર્યો વિરોધ

