Sajjan Kumar Passes Away: 1984 શીખ રમખાણોના દોષિત પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન

Sajjan Kumar Passes Away 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું ૮૦ વર્ષની વયે નિધન થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના બે અલગ-અલગ કેસોમાં દોષિત સાબિત થયા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.

Sajjan Kumar Passes Away કયા કેસમાં કાપી રહ્યા હતા સજા? 

 

  • દિલ્હી કેન્ટ મામલો:

  • દિલ્હી કેન્ટની પાલમ કોલોનીમાં 5 શીખોની હત્યા બાદ ગુરુદ્વારાને આગ ચાંપવામાં આવી હતી, અને આ જ કેસમાં સજ્જન કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે 17 ડિસેમ્બર, 2018ના રોજ તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ પછી સપ્ટેમ્બર, 2023માં રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હીના સુલતાનપુરીમાં 3 શીખોની હત્યાના કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. રમખાણો દરમિયાન સીબીઆઈ (CBI)ની એક મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ભીડને ઉશ્કેરી રહ્યા હતા.

  • સરસ્વતી વિહાર મામલો:

  • 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી વિહારમાં સરદાર જસ્વંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. તોફાનીઓએ લોખંડની સરિયા અને લાઠીઓથી હુમલો કરી બંને શીખોને જીવતા સળગાવી દીધા હતા. આ કેસમાં 12 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 25 ફેબ્રુઆરીએ આજીવન કેદની સજા સાંભળવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *