વક્ફ બોર્ડ સંશોધન બિલ મામલે સંસદમાં કોગ્રેસે કર્યો ભારે વિરોધ,અયોધ્યા મંદિર સમિતિમાં કોઇ ગેર-હિન્દુને રાખવામાં આવ્યા છે?

વક્ફ બોર્ડ સંશોધન બિલ :  લોકસભામાં આજે વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે ભારે વિરોધ કર્યો છે.  સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપાના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યું છે. સપાના સાંસદ મોહિબુલ્લાએ કહ્યું છે કે આ અમરા ધર્મમાં દખલગીરી છે.

  વક્ફ બોર્ડ સંશોધન બિલ :કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે વકફ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. આ બિલ મૂળભૂત અધિકારો પર હુમલો છે. તેમણે પૂછ્યું કે શું અયોધ્યાના મંદિરમાં કોઈ બિન-હિંદુ છે, શું કોઈ મંદિરની સમિતિમાં કોઈ બિન-હિંદુને રાખવામાં આવ્યો છે. વેણુગોપાલે કહ્યું કે વક્ફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ છે.

કેન્દ્રીય લઘુમતી અને કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે સંસદમાં વક્ફ સુધારા બિલ, 2024 રજૂ કર્યું. લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રિજિજુએ બિલ રજૂ કર્યું હતું. તે જ સમયે, સરકારે બિલ રજૂ કર્યા પછી, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે કહ્યું કે આ બિલ અધિકારો પર હુમલો છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે આ બિલ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટી અને AIMIMએ પણ આ બિલનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો-  બાંગ્લાદેશના વિધાર્થીઓ માટે GU અને GTU એ એડવાઇઝરી જાહેર કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *